માણાવદર તાલુકાના મટીયાણા ગામે જ્યા એકાદશી એટલે કે અગિયારસ ના દિવસે વિનુ ભગત દ્રારા સત્સંગ અને ભજન ર્કીતનનું આયોજન કરવામાં આવેલ
માણાવદર તાલુકાના મટીયાણા ગામે અગિયારસ ના દિવસે વિનુ ભગત દ્રારા સત્સંગ અને ભજન, ર્કીતન નું આયોજન કરવામાં આવેલુ આ આયોજનમાં ગામના ભકતજનો હાજર રહેલા ઉપરાંત મહિલાઓ દ્રારા પણ ભગવાનના ભજન, ર્કિતન નો સત્સંગ કરેલ આ સત્સંગનો લાભ ગામના બહેનોએ લીધો હતો વિનુ ભગત પાસેથી માહિતી મેળવતા તેઓ દ્રારા જણાવવામાં આવેલું કે તેઓ તેમજ ભકતો દ્રારા ધણા વર્ષોથી દર અગિયારસના દિવસે મટીયાણા ગામે સત્સંગનું આયોજન કરવામાં આવે છે.
વિનુ ભગત દ્રારા એ પણ જણાવવામાં આવેલ કે આજના આધુનિક યુગમાં એટેલે કે ૨૧મી સદીમાં પણ ધણા લોકો અંધશ્રદ્રાથી દૂર રહેવું જોઈએ તેમજ લોકોએ કોઈ પણ સત્સંગ વિશે કે સનાતન ધર્મ વિશે માહિતી તેઓ આ સંત્સગના સમય દરમિયાન આપે છે. અને લોકોને ભગવાન પ્રત્યે શ્રદ્રા રાખવાની અને અંધશ્રદ્રાથી દૂર રહેવાની સલાહ આપેલી.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


