હૃદયનો હુમલો આવ્યો હોય અને ત્યારબાદની તકલીફો જેવી કે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુ:ખાવો રહેવો વગેરે જેવા લક્ષણો હોય તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે હેતુથી તા. ૦૬ અને ૦૭ ઓક્ટોબર ૨૦૨૧ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન ઓપીડી નંબર ૧૩ આઇ.ટી.આર.એ. હોસ્પિટલ, રિલાયન્સ મોલની સામે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર ખાતે હોસ્પિટલના કાયચિકિત્સા વિભાગ દ્વારા રાહત દરે નિદાન અને સારવાર અંગેની શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેનો લાભ લેવા ડો.મનદીપ ગોયલ, એસોસીએટ પ્રોફેસર, જી.એ.યુ. જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.
