ઊના શહેરમાં ગોંદરા ચોક વિસ્તારમાં બે આખલા વચ્ચે યુધ્ધ છેડાતા આ વિસ્તારમાં વાહન ચાલકો તેમજ ઘાસચારો વેચતા લોકોમાં
થોડીવારમાં નાશભાગ મચી ગયેલ હતી. બે દિવસ પહેલા પણ ટાવર ચોક પાસે બે આખલા વચ્ચે જંગ થતાં ત્યાથી પસાર થતા
લગ્નના વરધોડામાં પણ નાશભાગ મચી ગયેલ હતી. આમ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં આખલાના ત્રાસથી લોકોમાં ભયનું
વાતાવરણ ફેલાયેલ હતું. આ આખલાને દૂર ખસેડવા વેપારીઓ લોકોની માંગણી ઉઠવા પામેલ છે.


