Gujarat

પાસ ફરી મેદાનમાં આવ્યું પાટિદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની માંગ

ગાંધીનગર
ગાંધીનગરમાં યોજાયેલી બેઠક અંગે માહિતી આપતા પાસના અગ્રણીઓ અલ્પેશ કથીરિયા અને દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે જ્ઞાતિને ઓબીસીમાં સમાવવા માટે રાજ્ય સરકારને અપાયેલા અધિકાર બાદ પાટીદાર સમાજનો અનામત માટેનો સર્વે કરવાની માગણી સરકાર સમક્ષ કરવાનું નક્કી કરાયું છે. ૨૦૧૫ના આંદોલન દરમિયાન આંદોલનકારીઓ ઉપરના કેસમાંથી ૨૫૦ કેસ, રેલવેના કેસ તેમજ રાજદ્રોહના પાંચ કેસ પરત ખેંચાયા નથી. તે પરત ખેંચવા માગણી કરાશે. તે ઉપરાંત મહિલાઓને ૧-૮-૨૦૧૮ના પરિપત્ર મુજબ વિસંગતતા દૂર કરી અનામતની માગણી અને બિન અનામત વર્ગના નિગમની વધુ વ્યાપક બને તે માટે ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર સીએમ હોવા છતાં આંદોલન અંગે તેમણે કહ્યું હતું કે સરકાર માગણીઓ સંતોષે તો અત્યારે અને ૨૦૨૨માં પણ હાલના સીએમ ફરી બને તો અમને કોઇ વાંધો નથી. આ વખતે સમાજની માતૃ સંસ્થાઓને વિશ્વાસમાં લેવાશે તેવો પણ દાવો કર્યો હતો. ઊંઝા ખાતે પણ એસપીજીના અગ્રણીઓ લાલજીભાઇ પટેલ, જિજ્ઞેશ પટેલ અને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી.પાટીદાર સંગઠનો દ્વારા ફરી એક વખત ભાજપ સરકાર સામે ઓબીસીમાં પાટીદારોને અનામતની માગણી સાથે મોરચો ખોલવામાં આવ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર સમાજના સર્વેની માગણી, પોલીસ કેસ પરત ખેંચવા સહિતના મુદ્દે આગામી ટૂંક સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાનો ર્નિણય લેવાયો હતો. ઓક્ટોબરમાં સરકાર માગણીઓ અંગે કોઇ પ્રતિસાદ આપે છે કે નહીં તે પછી આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે તેવી ચીમકી પણ અપાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *