સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરનાં વોર્ડ નંબર પાંચમાં આવેલ રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં પ. પૂ. ઉષામૈયાના વરદહસ્તે શ્રી કાલભૈરવ દાદાના મંદિરનું ભૂમિ પૂજન થયું આ પ્રસંગે રામનાથ મંદિરના મહંત શ્રી ભરતગીરી બાપુ તથા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા પતિ સદસ્ય શ્રી આલ કરસનભાઈ.બી શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી નિખિલભાઈ ઘેલાણી યુવા સંગઠનના સભ્યો તથા સાવરકુંડલા શહેરના સેવાભાવી યુવાન ગિરીશભાઈ નાંદોળિયા સમેત ભાવિકોની ઉપસ્થિત રહ્યા હતાં. આમ હવે ટૂંક સમયમાં શ્રી કાળભૈરવ દાદાના મંદિરનું નિર્માણ સાવરકુંડલા શહેરના રામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં થવા જઈ રહયુ છે એ જાણી ભાવિકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.


