Maharashtra

ઉદ્ધવ ઠાકરે પર બોલ્યા અમિત શાહ, ‘ચૂંટણી પંચે દૂધનું દૂધ પાણીનું પાણી કરી દીધુ’

મુંબઈ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેથી શિવસેનાવાળા મુદ્દા પર નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કર્યો અને ચૂંટણી પંચના ર્નિણયની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે કાલ (૧૭ ફેબ્રુઆરી) એ ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચે ગઈકાલે સત્ય અને અસત્ય વચ્ચેનો તફાવત સ્થાપિત કર્યો છે. દરમિયાન, તેમણે કહ્યું કે પુણેના કાર્યકરોએ એવો ઠરાવ કરવો પડશે કે મહારાષ્ટ્રની તમામ બેઠકો શિવસેના અને ભાજપને જશે. ગૃહ મંત્રીએ પુણેમાં આયોજીત કાર્યક્રમમાં પુસ્તક મોદીજ્ર૨૦’ ના મરાઠી વર્ઝનનું વિમોચન કર્યું. આ દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હાજર રહ્યાં હતા. તેમણે કહ્યું કે મોદી જ્ર૨૦ પુસ્તકનું મરાઠી વર્ઝનનું આજે વિમોચન કરવામાં આવ્યું છે. આ દેશની લોકશાહીને કેવી રીતે સફળ બનાવી શકાય, કેવી રીતે બનાવવામાં આવી? જાે તમારે તેની વાર્તા વાંચવી હોય તો મોદી જ્ર૨૦ પુસ્તક અવશ્ય વાંચો. ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના ગૃહમંત્રી શાહે કહ્યું, “કેટલાક લોકો મુખ્યમંત્રી બનવા માટે વિરોધ પક્ષના પગ ચાટી રહ્યા હતા.” શિંદે સાહેબને અસલી શિવસેના મળી છે. કેટલાક લોકો જુઠ્ઠું બોલતા હતા. કેટલાક લોકો પાર્ટી કાર્યકર્તાઓને છેતરીને સીએમ બન્યા છે.” તેમણે કહ્યું, “અમે શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યની ચૂંટણી લડીશું.” સરકાર બનશે. અગાઉની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધતા ગૃહમંત્રીએ કહ્યું કે, યુપીએ સરકાર એવી સરકાર હતી જેમાં દરેક મંત્રી પોતાને પ્રધાનમંત્રી માનતા હતા અને કોઈ મંત્રી પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી માનતા ન હતા. તે સમયે પાકિસ્તાનથી ઘૂસણખોરો ઘૂસીને આપણા સૈનિકોના માથા લઈ જતા હતા અને દિલ્હીના દરબારમાં મૌન છવાઈ ગયું હતું. તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે ભારતના વિદેશમંત્રી વિદેશ જતી વખતે ખોટું ભાષણ આપતા હતા. “

Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *