જામનગર જિલ્લામાં લાલપુર તાલુકા ખાતે આવેલ શ્રી લાલપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની સામાન્ય ચૂંટણી માટે વ્યવસ્થાપક સમિતિના સભ્યોની કામચલાઉ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઈ છે. જે અંગેના દાવા-
વાંધાઓ તા.૨૭-૦૨-૨૦૨૩ સુધીમાં ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી લાલપુર ખાતે રજુ કરી શકાશે. તેમજ દાવા-વાંધાઓના નિકાલની આખરી તારીખ ૦૧-૦૩-૨૦૨૩ રહેશે. જ્યારે તા.૦૩-૦૩-૨૦૨૩ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધી કરાશે. તેમજ આખરી મતદાર યાદીની પ્રસિધ્ધી બાદ ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૧૬ હેઠળ ચૂંટણી અંગેનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી લાલપુરની યાદીમાં જણાવાયું છે.
