Gujarat

બસંત બચત મહોત્સવની માહિતી આપવા બાઈક રેલીનું આયોજન કરાયું

સમગ્ર ભારતમાં 'બસંત બચત મહોત્સવ' અંતર્ગત રાષ્ટ્રીય સ્તરની નવા પી.ઓ.એસ.બી. ખાતા
ખોલવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગૅત, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની તમામ
પોસ્ટ ઓફિસમાં આગામી તા. ૨૪ ફેબ્રુઆરી સુધી નવા ખાતા ખોલવામાં આવશે. તેમજ બાળકો માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
યોજનાનો લાભ મળે તે માટે 'ધ્રુવ સંકલ્પ અભિયાન' શરૂ કરાયું છે. આ યોજનામાં રોકાણ કરવામાં આવેલો રકમ બાળકોના
ભવિષ્યને સુનિશ્ચિત કરશે.
જામનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા લોકોને જાગૃત કરવા તેમજ આ યોજનાની માહિતી આપવા માટે બાઈક રેલીનું આયોજન
કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના વિવિધ રાજમાર્ગો પર ફર્યા બાદ ચાંદી બજારમાં હેડ પોસ્ટ ઓફિસ પાસે આ રેલીનું
સમાપન થયું હતું. જામનગર પોસ્ટલ ડિવિઝનના અધિક્ષક શ્રી જી.પી. તલગાંવકર દ્વારા જામનગરના નગરજનોને આ
યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજના અંગે વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસ અથવા
મુખ્ય કચેરીના સંપર્ક નં.૦૨૮૮-૨૬૭૬૫૯૨ પરથી મેળવી શકાશે, તેમ પોસ્ટ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટશ્રી, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *