National

કાનપુરમાં પડોશીઓનો ઝગડો બળાત્કાર સુધી પહોંચી ગયો

કાનપુર
યુપીના કાનપુરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પાડોશીઓના ઝઘડમાં તેમની પત્નીઓએ એકબીજાના પતિઓ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. એફઆઈઆર નોંધાયા બાદ કાનપુરમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે. બળાત્કારની પહેલી એફઆઈઆર ૧૮ ફેબ્રુઆરીએ લખાઈ હતી અને બીજી એફઆઈઆર ૨૦ ફેબ્રુઆરીએ લખાઈ હતી. જેમાં ૪૮ કલાકમાં બળાત્કારની બે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. સંચેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગામમાં રહેતા પાડોશીઓ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલતો હતો. એક મહિલાએ તેના પડોશમાં રહેતા વ્યક્તિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. બીજી તરફ ૨ દિવસ બાદ ધરપકડ કરાયેલા આરોપીની પત્નીએ પણ બળાત્કારનો કેસ નોંધાવનાર મહિલાના પતિ પર આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાના પતિની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. કાનપુરમાં એક મહિલાએ ૧૮ ફેબ્રુઆરીએ પાડોશમાં રહેતા એક વ્યક્તિ વિરુદ્ધ બળાત્કારની હ્લૈંઇ નોંધાવી હતી. મહિલાનું મેડિકલ કરાવ્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધી છે. ત્યારબાદ બે દિવસ પછી ૨૦ ફેબ્રુઆરીએ આરોપીની પત્નીએ હ્લૈંઇ નોંધાવનાર મહિલાના પતિ પર બળાત્કારનો આરોપ લગાવ્યો. પોલીસે તેની એફઆઈઆર પણ નોંધી છે. છઝ્રઁ નિશાંત શર્માએ જણાવ્યું કે એક મહિલાએ પાડોશી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જેની જાણ નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, ૨૦ ફેબ્રુઆરીએ આરોપીની પત્નીએ પણ પાડોશી વિરુદ્ધ હ્લૈંઇ દાખલ કરી છે. મહિલાનું મેડિકલ કરવામાં આવ્યું છે, રિપોર્ટ આવ્યા બાદ આગોતરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે સમગ્ર પ્રકરણની પણ તપાસ કરવામાં આવી રહી છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *