Delhi

ભારતમાં નવા વેરિયન્ટ ઠમ્મ્ ૧.૧૬ના રૂપમાં કોરોનાની ફરીથી વાપસી, અત્યાર સુધીમાં ૭૫૪ કેસ

નવીદિલ્હી
કોરોના વાયરસે ભારતમાં ફરીથી પગપેસારો કર્યો છે. પરંતુ તેના નવા રૂપમાં એક્સબીબી ૧.૧૬ સ્વરૂપે. ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા ૨૪ કલાકમાં આ વેરિયન્ટના નવા ૭૫૪ કેસ નોંધાયા છે. ત્યાં એક દર્દીનું મોત નીપજ્યું છે. દેશના કેટલાક રાજ્યોમાં આ નવો વેરિયન્ટ જાેવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી બે દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે ૧૫૫ નવા કેસ સામે આવ્યા છે. તેલંગાણામાં ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ૧૦ ટકા સુધી વધી ગયો છે. આવો જાણીએ ઠમ્મ્ ૧.૧૬ના કેસ વધવાના કારણો અને તેના લક્ષણો સાથે જ તેના ઉપાય શું હોઈ શકે? આંતરરાષ્ટ્રીય કોવિડ ટ્રેકિંગ પ્લેટફોર્મ કોવસ્પેક્ટ્રમના જણાવ્યા પ્રમાણે, ભારતમાં ર્ઝ્રદૃૈઙ્ઘ ઠમ્નું નવું સ્વરૂપ, ઠમ્મ્ ૧.૧૬ના કેસ વધી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે, ભારત પછી આ વેરિયન્ટ બ્રુનેઇ, અમેરિકા અને સિંગાપોરમાં સૌથી વધુ જાેવા મળ્યો છે. દેશમાં કેટલાય રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટનો સંક્રમણ દર વધી રહ્યો હોય તેવું જણાય છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૫ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે ૨ લોકોના મોત થયા છે. તો બીજી તરફ, તેલંગાણામાં મંગળવારે અને બુધવારે ૧૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પોઝિટિવિટી દર ૫ ટકાથી ૧૦ ટકા વચ્ચે છે. આંતરરાષ્ટ્રીય કોવિડ ટ્રેકિંગ પ્લેટફોર્મ કોવસ્પેક્ટ્રમ પ્રમાણે, ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ભારતના જિનોમ સિક્વન્સિંગ નેટવર્કના જણાવ્યા પ્રમાણે, ઠમ્મ્ ૧.૧૬ ઠમ્મ્ ૧.૫માંથી પેદા નથી થયો, પરંતુ બંને ઠમ્મ્ અને ઠમ્મ્.૧ના સ્વરૂપ છે. અત્યાર સુધીમાં ઠમ્મ્ ૧.૧૬ વેરિયન્ટના અલગથી કોઈ લક્ષણો જણાવવામાં નથી આવ્યા, પરંતુ તેના કેટલાક મુખ્ય લક્ષણો જણાવવામાં આવ્યા છે. માથાનો દુખાવો, માંસપેશિયોમાં દુખાવોસ થાક, ગળું ખરાબ થવું, શરદી-ખાંસી સિવાય કેટલાક દર્દીઓને પેટમાં દુખાવો, બેચેની જેવા લક્ષણો પણ અનુભવાય છે. નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. વાયરસના મ્યૂટેન્ટ પ્રતિરક્ષાથી બચવા માટે હોશિયાર છે અને પ્રકૃતિમાં સંક્રામક છે. કોવિડનું એક અન્ય સ્વરૂપ ઓમિક્રોન જે ઠમ્મ્ ૧.૧૬નું સ્વરૂપ માનવામાં આવે છે. તે ઝડપથી ફેલાવવા માટે જાણીતો છે. આ માટે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. કોરોનાથી બચવાના ઉપાયો તો લગભગ બધાને ખબર જ છે, પરંતુ અત્યાર સુધીમાં ઇન્ફ્લૂએન્ઝા ૐ૩દ્ગ૨ વાયરસે દેશમાં હાહાકાર મચાવી દીધો છે. ત્યારે થોડી વધુ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે આ નિયમોનું ધ્યાન રાખવું જાેઈએ – ૧) સંક્રમણનું કોઈપણ લક્ષણ હોય તો બહાર ન જવું જાેઈએ, ૨) જેને સંક્રમણ હોય તેવા લોકોની નજીક ન જવું, ૩) માસ્ક પહેર્યા વગર ભીડ-ભાડ વાગી જગ્યાએ ન જવું, ૪) જાે કોઈને કોરોના હોય તો તેને બાળકો અને વૃદ્ધોથી અલગ રાખવા જાેઈએ, ૫) હાથને સાબુથી ધોવા અને સેનેટાઇઝર વાપરવું જાેઈએ. ૐ૩દ્ગ૨ ઇન્ફ્લૂએન્ઝા વાયરસની બીક વચ્ચે ઠમ્મ્ ૧.૧૬એ હાહાકાર મચાવ્યો છે. ઇન્ફ્લૂએન્ઝા અત્યાર સુધીમાં દેશમાં ૭ લોકોનો જીવ લઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, ૐ૩દ્ગ૨ એક વાતાવરણનો ઇન્ફ્લૂએન્ઝા વાયરસ છે જે ર્ર્ંિંરદ્બઅર્ટદૃૈિૈઙ્ઘટ્ઠી વાયરસ પરિવારનો ભાગ છે. પરંતુ, આ વાયરસ ફેફસાંને પ્રભાવિત નથી કરતો.

File-01-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *