Delhi

રાહુલ ગાંધી આજના મીરજાફર!.. ભાજપના વળતા પ્રહારો

નવીદિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લંડનમાં ભારતના લોકતંત્ર પર કરેલી ટિપ્પણીને કારણે ચર્ચામાં છે. સંસદની અંદર અને બહાર બીજેપી નેતાઓ રાહુલ ગાંધી પર નિશાન સાધવાની કોઈ તક છોડી રહ્યા નથી. ભાજપ સતત રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યું છે. બીજી તરફ ભાજપે હવે રાહુલ ગાંધીની સરખામણી મીર જાફર સાથે કરી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ મંગળવારે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. સંબિતે કહ્યું, “રાજકુમાર નવાબ બનવા માંગે છે અને નવાબ બનવા માટે રાજકુમારે ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે મદદ માંગી છે. એવું નથી કે રાહુલ ગાંધી માફી માંગ્યા વગર જતી રહે. તેમણે માફી માંગવી જ પડશે, અમે આદેશ આપતા રહીશું.”સંબિતે વધુમાં કહ્યું કે રાહુલે રાફેલ મામલામાં પણ માફી માંગવી પડી હતી અને આજે તેમણે સંસદના ફ્લોર પર પણ માફી માંગવી પડશે. મ્ત્નઁ-ઇટ્ઠરેઙ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ મીર જાફરે નવાબ બનવા માટે શું કર્યું અને રાહુલ ગાંધીએ લંડનમાં શું કર્યુંપ તે બરાબર છે. રાજકુમાર નવાબ બનવા માંગે છે. આજના મીર જાફરે માફી માંગવી પડશે. રાજકુમારપ આ નહીં ચાલે. બીજેપી નેતાએ એમ પણ કહ્યું કે આ કોંગ્રેસ અને રાહુલ ગાંધીનું સતત ષડયંત્ર છે. સંસદમાં તેમની ભાગીદારી સૌથી ઓછી છે અને તેઓ કહે છે કે તેમને કોઈ બોલવા દેતું નથી. રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણી દ્વારા વિદેશી દેશોને ભારતમાં લોકશાહીની રક્ષા માટે આવવાનું ખુલ્લું આમંત્રણ આપ્યું છે. મણિશંકર ઐયર અને રાહુલ ગાંધી એ જ કરી રહ્યા છે. બંને ભારતને બદનામ કરી રહ્યા છે. નવાબ બનવા માટે મીર જાફરે શું કર્યું? તેણે પોતાના ઉદ્દેશ્યો પૂરા કરવા ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદ લીધી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *