અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું છે કે, સર્વજન હિતાય, સર્વજન સુખાય સૂત્રને ચરિતાર્થ કરીને નિર્ણાયક અને સંવેદનશીલ સરકારે રાજ્યના તમામ નાગરિકોને પૂરતું અને સમયસર અન્ન મળી રહે એ માટે મક્કમ નિર્ધાર કરીને સમય બદ્ધ આયોજન કર્યું છે.
ગુજરાત વિધાનસભા ખાતે અરવલ્લી જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ લાભાર્થી જનસંખ્યાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, આ એક્ટ હેઠળ તા. ૩૧/૦૧/૨૦૨૩ની સ્થિતિએ અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૫,૮૪૧ લાભાર્થી કુટુંબોની ૨૫,૦૯૪ જનસંખ્યાને આવરી લેવાયા છે.
