Gujarat

છોટાઉદેપુર સબ જેલ ખાતે  જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી.બી ચોબીસાના આદેશ અનુસાર  તેમજ જિલ્લા ક્ષય અધિકારી  ડૉ. ભરતસિંહ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ  સબ જેલના અધિકારી  એચ એ. બાબરીયા ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે..  

તેમાં જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ના મૅડિકલ ઓફિસરો   લેબોરેટરી ટેક્નિશિયન તેમજ આરોગ્યની ટીમ મેડિકલ ઓફિસર ડૉ. વિણાબેન રાઠવા અર્બન હેલ્થ સેન્ટર ના સ્ટાફ એસઆઇ રાજુભાઈ રાઠવા સહિત લગભગ 200 જેટલા કેદીઓ ની શારીરિક તપાસ કરીને સારવાર આપવામાં આવેલ છે . આ ઉપરાંત દરેક કેદીઓને ટીબી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ છે  વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા કે 2025 માં દેશમાંથી ટીબી રોગ નાબૂદ કરવા જનજાગૃતિના અભિયાન રૂપે દરેક કેદીઓને ટીબી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230328_161843.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *