Delhi

અસિત મોદીએ દયાબેન ઉર્ફે દિશા વાકાણીને લઈને મોટું નિવેદન આપ્યું

નવીદિલ્હી
તારહ મહેતા કા ઉલ્ટા ચશ્મા લગભગ ૧૫ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. આ વર્ષોમાં દિશા વાકાણી, ભવ્ય ગાંધી, શૈલેષ લોઢા અને નેહા મહેતા સહિત અનેક કલાકારો એ આ શો છોડી દીધો છે. હાલમાં ટપ્પુની ભુમિકા નિભાવનાર રાજ અનાદકટે આ શો છોડ્યો. એમની જગ્યા નીતીશ ભલૂનીએ લીધી છે. મેકર્સે આ કલાકારની જગ્યાએ બીજા કલાકારોની બદલી દીધા છે. પરંતુ હજી સુધી દિશા વાકાણીનું રિપ્લેસમેન્ટ લીધુ નથી. દિશા હાલમાં તારક મહેતા..શોમાં ભૂમિકા નિભાવી રહી હતી. દયાએ આ શો ૨૦૧૭માં આ શો છોડી દીધો હતો. આ વિશે પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ન્યૂઝ ૧૮ શોશાની સાથે આ વિશે ખાસ વાતચીત કરી. એમને કહ્યું કે..આ છોડનારા અભિનેતા મેકર્સ માટે ચિંતાનો વિષય બની ગયા છે. અસિત મોદીએ કહ્યું કે ખરેખર અમારા માટે આ મોટો પડકાર છે. અસિત કુમાર મોદીએ શો છોડીને ગયેલા કલાકારો પર અપ્રત્યક્ષ રૂપથી કટાક્ષ કર્યો, ‘જેમને આ શો વચ્ચેથી છોડ્યો અને સાથે કહ્યું કે..લોકો સામાન્ય રીતે ત્યારે શો છોડે છે જ્યારે સખત મહેનત કરીને થાકી જાય છે. ત્યારે દિશા વાકાણીની વાત કરતા એમને કહ્યું કે..હું દિશા વાકાણીના સવાલોનો જવાબો આપીને હવે થાકી ગયો છું. જાે કે અનેક લોકોના મોં પર એક જ ચર્ચા હોય છે કે દયા બેન ક્યારે પાછા આવશે. આ સાથે જ અસિત મોદી વધુમાં જણાવે છે કે ફેન્સના સવાલોના જવાબ આપવો પડશે કારણે હું શોનો પ્રોડ્યુસર છું. એમને દિશા વાકાણીને એમની બહેન પણ કહ્યું છે. આ સાથે વધુમાં જણાવે છે કે દિશા વાકાણી શોમાં પાછી આવવાની વાત કરે છે તો હું ખૂબ ખુશ થઇ જઇશ. આ સાથે એમને કહ્યું કે રિપ્લેસ કરવાનો કોઇ ડર નથી, તેઓ આ કલાકાર માટે પરફેક્શન શોધી રહ્યા છે. અસિત મોદી દિશા વાકાણીની વાત લઇને કહે છે કે..એની જગ્યા કોઇ લઇ શકે નહીં. એનું પરફોર્મન્સ બેસ્ટ હતુ, અમે દિશા જેવી એક્ટ્રેસ શોધી રહ્યા છીએ અને એના અંદાજથી લોકોને પ્રભાવિત કરી શકે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *