જુનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, શ્રીરામ ઘુન મંડળ, ગોરક્ષા સંગઠન સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા રામનવમી ની
માંગરોળમાં સૌથી વિશાળ અને ઐતિહાસિક શોભાયાત્રા કાઢવામા આવી હતી માંગરોળ સુશોભન કરી જેમા શહેરના મુખ્ય ચોકમા રંગોળી કરી મુખ્ય ચોકો પર ગેટો બાંધી પોસ્ટરો લગાડવામા આવ્યા હતા તેમજ શોભાયાત્રાના રુટ મા દુકાને દુકાને કેસરી જંડીઓ થી ગામને સજાવવામા આવ્યુ હતુ શોભાયાત્રા ના રુટો પર સંગઠનો દ્વારા સરબતો ઠંડાપીણા ની વ્યવસ્થા કરવામાં આવી હતી
રામનવમી ના રોજ સાંજે ચાર વાગ્યે હરીકિરતનાલય ઘુન મંદિર બહારકોટ થી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ શ્રીરામ ધુન મંડળ ના નેજા હેઠળ નીકળતી શોભાયાત્રા મા વિવિધ હિંદુ સંગઠનો તેમજ ગ્રામ્ય વિસ્તારો માથી, ઘુન મંડળો, હિંદુ સમાજ ની જ્ઞાતીઓ ઍ બનાવેલાં આકર્ષક ફલોટ સાથે જોડાયા હતા, કસ્તુરબા વિઘાલય ની બાળાઓ સુંદર રામ પરીવાર ના પાત્રો ઘારણ કરી જોડાઈ હતી, સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ચાલતી રામ પારાયણના સભ્યો સાથે કથાકાર શાસ્ત્રી નાગેન્દ્રજી વોરા તેમજ સાથે દરેક હિંદુ જ્ઞાતીઓના આગેવાનો, દરેક હીંદુ સંગઠનો, બ્રહ્મકુમારી પુષ્પાદીદી સહિત ભાઇઓ બહેનો, વેપારી ભાઈઓ જોઙાયા હતા બપોરે બે વાગ્યા પછી ઘંઘા રોજગાર બંઘ રાખવામા આવ્યા હતા રામલલાના જન્મોત્સવ ની શોભાયાત્રા જોડાઈ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી સમગ્ર માંગરોળ શહેર શ્રીરામ ના નારા સાથે રામમય બની ગયુ હતુ આ શોભાયાત્રામા તમામ આકર્ષક ફલોટ ને આગેવાનો દ્વારા ભેટ આપી સન્માન કરવામા આવ્યુ હતુ તેમજ સુંદર પોલીસ બંદોબસ્ત જાળવવા બદલ એસ ઓ જી પીઆઇ ગોહેલ સર, પી એસ આઇ સોનેરા મેડમ, માંગરોળ પી એસ આઇ સોલંકી મેડમનુ શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ, આ શોભાયાત્રા મા ભાજપના રાષ્ટ્રીય આગેવાન વેલજીભાઈ મસાણી, શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, નગરપાલિકા પુર્વ ઉપ પ્રમુખ મનોજભાઇ વિઠલાણી, ચેતનભાઇ કગરાણા, તાલુકા ભાજપ આગેવાન દાનભાઇ ખાંભલા, માનસિંહભાઇ ડોઙીયા, એડવોકેટ કિશનભાઇ પરમાર, માલદેભાઇ ભાદરકા સહિત વિશાળ સંખ્યામા ભાઇઓ બહેનો જોડાયા હતા, આ શોભાયાત્રા ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણીયા, વિશ્વ હિન્દુ પરીષદ પ્રકાશભાઈ લાલવાણી, પરેશભાઇ જોષી, હરીશભાઇ રુપારેલીયા, મહેશભાઈ ઘેરવડા, તરુણબાપુ ગોસ્વામી, પ્રફુલભાઇ નાંદોલા, પંકજભાઇ રાજપરા, કમલેશભાઈ ગોહેલ, શૈલેષભાઇ ચાવડા, ઘવલભાઇ પરમાર, અમિષભાઇ પરમાર સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી ઇનામ વિતરણ નુ સંચાલન રમેશભાઈ જોષીએ કર્યુ હતુ આ શોભાયાત્રા મા સહકાર આપનાર તમામ હિન્દુ સંગઠનો સામાજીક સંગઠનો ઘુન મંડળીઓ પોલીસ અધિકારીઓ, નગરપાલિકા, જીઇબી, મામલતદાર શ્રી, તમામ વેપારીઓ, તમામ જ્ઞાતી આગેવાનો ભાઇઓ અને બહેનો, તમામ દાતાશ્રીઓ નો વિશ્વ હિન્દુ પરિષદ ના આગેવાન વિનુભાઇ મેસવાણીયા એ આભાર માન્યો હતો,,

રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,,,,,,
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,


