સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલામાં આવેલ પાડર શીંગા ખોડિયાર મંદિર ખાતે આજ રોજ હનુમાનજી મહારાજના જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જયંતિ મહોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો અને મહા પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો તેમજ પાડરશીંગા ખોડિયાર મંદિર ખાતે સીતારામ ગ્રુપ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવેલ


