ઉના
ઉનામાં રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ચાર દિવસથી જેલમાં બંધ સામાજિક કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીને સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે.
કાજલ હિંદુસ્તાનીને આ જામીન શરતોને આધીન આપવામાં આવ્યા છે. રામનવમીના દિવસે કાજલની હેટ સ્પીચના કારણે મામલો બિચક્યો હતો અને ફરિયાદ થઈ હતી. જેમાં ૪ પહેલાં નીચલી કોર્ટે કાજલ હિંદુસ્તાનીના જામીન ફગાવી દેતાં જેલમાં જવું પડ્યું હતું. જાે કે હવે સેશન્સ કોર્ટે કાજલ હિંદુસ્તાનીને શરતો સાથે જામીન આપ્યા છે. મળતી માહિતી અનુસાર કાજલ હિન્દુસ્તાની ૫ દિવસ બાદ જેલની બહાર આવી ગયા છે.


