Maharashtra

અર્જુન તેંડુલકરને KKR સામે ડેબ્યૂ કરવાની તક મળી

મુંબઈ
ક્રિકેટપ્રેમીઓની રાહ જાેવાની ઘડી પૂરી થઈ ગઈ છે. ખેલ જગતમાં ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ૈંઁન્માં ડેબ્યૂ કરવાની તક મળી છે. તે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. રોહિત શર્મા કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મહત્વની મેચમાં ભાગ લઈ રહ્યો નથી. તેના સ્થાને સદાબહાર બેટ્‌સમેન સૂર્યકુમાર યાદવને ટીમની કમાન મળી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ રોમાંચક મેચમાં યાદવે ટોસ જીતીને કોલકાતાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સમાચાર લખાય છે, ત્યાં સુધી અર્જુન તેંડુલકરે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સાત મેચ રમી છે. આ દરમિયાન તેના બેટમાંથી નવ ઇનિંગ્સમાં ૨૪.૭૭ની એવરેજથી ૨૨૩ રન થયા છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની સદી છે. બોલિંગ કરતી વખતે, તેણે એટલી જ મેચોની ૧૧ ઇનિંગ્સમાં ૪૫.૫૮ની એવરેજથી ૧૨ સફળતાઓ હાંસલ કરી છે. તેની લિસ્ટ છ ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે અહીં સાત મેચ રમીને ત્રણ ઇનિંગ્સમાં માત્ર ૨૫ રન બનાવ્યા છે. બોલિંગ દરમિયાન, તેણે એટલી જ મેચોની સાત ઇનિંગ્સમાં ૩૨.૩૭ની સરેરાશથી આઠ સફળતા મેળવી છે. અર્જુન તેંડુલકરે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં નવ મેચ રમીને ૫.૦૦ની સરેરાશથી નવ ઇનિંગ્સમાં ૨૦ રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ૬૮.૯૬ રહ્યો છે. તે જ સમયે, બોલિંગ દરમિયાન, તેણે ૧૬.૫૦ ની એવરેજથી એટલી જ મેચોની નવ ઇનિંગ્સમાં ૧૨ સફળતા મેળવી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *