Maharashtra

બોલિવૂડમાં કાસ્ટિંગ ‘રાજકારણ અને નાટક’ પર ર્નિભર ન હોવું જાેઈએ ઃ પ્રિયંકા ચોપરા

મુંબઇ
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા ટૂંક સમયમાં ‘સિટાડેલ’માં જાેવા મળશે. આ દરમિયાન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે બોલિવૂડની કાસ્ટિંગ વિશે વાત કરી હતી. આ દરમિયાન પ્રિયંકાએ કહ્યું કે ટબોલિવૂડમાં કલાકારોની કાસ્ટિંગ મેરિટના આધારે થવી જાેઈએ, નહીં કે રાજકારણ અને નાટકના આધારે. આ પહેલા પણ પ્રિયંકા બોલિવૂડમાં રાજકારણ વિશે વાત કરી ચૂકી છે. આ દરમિયાન તેણે જણાવ્યું કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીએ તેને સાઈડ લાઈન કરી હતી, ત્યારબાદ પ્રિયંકાએ બોલિવૂડ છોડીને સંગીતમાં કરિયર બનાવવાનો ર્નિણય કર્યો. ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું- ‘બોલિવૂડમાં કાસ્ટિંગ ટેલેન્ટના આધારે થવું જાેઈએ રાજકારણના આધારે નહીં. ભૂતકાળમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું બદલાઈ ગયું છે. ઘણા પ્રતિભાશાળી લોકો હવે ઇન્ડસ્ટ્રીમાંથી બહાર આવે છે. પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા પ્રિયંકાએ કહ્યું, ‘જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે વાતાવરણ બિલકુલ અલગ હતું. કાસ્ટિંગનું કામ રાજકારણ અને નાટકને બદલે કાસ્ટિંગ ડિરેક્ટરનું કામ હોવું જાેઈએ. તેમણે કહ્યું કે તક અને કાર્યસ્થળની આસપાસ વાતચીત થવી જાેઈએ. પ્રિયંકાએ આગળ કહ્યું, ‘બોલિવૂડની કાર્યક્ષમતામાં ઘણો બદલાવ આવ્યો છે, કારણ કે પાછલી પેઢીના કલાકારોએ તેના માટે સંઘર્ષ નથી કર્યો. કાસ્ટિંગ પર કોઈ જૂથ દ્વારા નિયંત્રણ ન હોવું જાેઈએ અને તે પ્રતિભાના આધારે થવું જાેઈએ. લોકોએ આ વિશે વાત કરવી જાેઈએ. પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની ઇન્ટરનેશનલ સિરિઝ ‘સિટાડેલ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. રુસો બ્રધર્સે ૫ વર્ષ પહેલા સિટાડેલના આઈડિયા સાથે પ્રિયંકાનો સંપર્ક કર્યો હતો. તેનું પ્રીમિયર ૨૮ એપ્રિલે થશે. આ સિવાય પ્રિયંકા ટૂંક સમયમાં ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘જી લે જરા’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *