બેંગલુરુ
ભારતની ય્૨૦ અધ્યક્ષતા હેઠળ વેપાર અને રોકાણ કાર્યકારી જૂથ (્ૈંઉય્) ની બીજી બેઠક બેંગલુરુમાં શરૂ થઈ. આ બેઠક ૨૩ થી ૨૫ મે દરમિયાન યોજાશે. ઈવેન્ટના પ્રથમ દિવસે બિઝનેસ અને ટેક્નોલોજી પર એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેક્નોલોજી રિશેપિંગ, બિઝનેસ એન્ડ ઈન્ક્લુઝિવ ગ્રોથ માટે ટેક્નોલોજીની ભૂમિકા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ, બેઠકમાં ભાગ લેવા આવેલા વિદેશી પ્રતિનિધિઓનું બેંગલુરુમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરિસંવાદના પ્રથમ દિવસ દરમિયાન ય્૨૦ સભ્ય દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિત દેશો તેમજ અને વેપાર અને તકનીકી સાથે સંબંધિત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ મુદ્દાઓ પર ચર્ચામાં ભાગ લીધો હતો. પરિસંવાદ દરમિયાન બે પેનલ ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે સેમિનારનું ઉદ્?ઘાટન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વેપાર અને રોકાણ કાર્યકારી જૂથની ૨જી બેઠક સારા ભવિષ્ય અને સમૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય વેપારમાં આવતા અવરોધોને દૂર કરવાની દિશામાં કામ કરશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી સોમ પ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે વૈશ્વિક વેપારમાં અવરોધો અને પડકારોને દૂર કરવા માટે ઉદ્યોગ, શૈક્ષણિક, ઇશ્ડ્ઢ સંસ્થાઓ અને સરકારી અધિકારીઓ સાથે મળીને કામ કરશે.
સભાને સંબોધતા, વાણિજ્ય વિભાગના સચિવ, સુનિલ બર્થવાલે જણાવ્યું હતું કે ભારતીય વિદેશી વેપાર નીતિ ઈ-કોમર્સ પર ભાર મૂકે છે અને દેશ અર્થતંત્રના ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને બેંક ખાતા થી મોબાઈલ ફોન સાથે આધારને લિંક કરવા માં સૌથી આગળ છે. પરિસંવાદ બાદ ય્૨૦ પ્રતિનિધિઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
ય્-૨૦ સભ્ય દેશોના ૭૫ થી વધુ પ્રતિનિધિઓ, આમંત્રિતો, પ્રાદેશિક જૂથો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે, જે આગામી બે દિવસમાં વૈશ્વિક વેપાર સાથે સંબંધિત વિવિધ વિષયો પર વ્યાપક ચર્ચાઓ કરશે. ૨૪ મેના રોજ યોજાનાર તકનીકી સત્ર દરમિયાન ભારતના ય્૨૦ પ્રમુખપદ માટે મુખ્ય પ્રાથમિકતા એટલે કે ઉ્ર્ં સુધારણા પર ચર્ચા કરવામાં આવશે. ૨૪મી મેના રોજ યોજાનાર ઉદ્?ઘાટન સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ ઉપસ્થિત રહેશે. ્ૈંઉય્ની પ્રથમ બેઠક મુંબઈમાં યોજાઈ હતી.


