Gujarat

 આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 102 મી મનકી બાત કાર્યક્રમને છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્વામિનારાયણ મંદિર હોલમાં સાંસદ ગીતાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો મન કી બાત કાર્યક્રમ કે જે દેશના નાગરિકો માટે એક પ્રેરણાદાયી ગણાય છે,અને એટલેજ દેશવાસીઓ ખુબજ ઉત્સુકતાથી આ કાર્યક્રમની રાહ જુએ છે અને ખુબજ ધ્યાનથી આ કાર્યક્રમને નિહાળે છે, આજે પ્રધાનમંત્રીના મનકી બાત કાર્યક્રમના 102 મા એપિસોડને મોટી સંખ્યામાં લોકો સાંભળી શકે ..નિહાળી શકે તે માટે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના સ્વામિનારાયણ મંદિર સંકુલ હોલમાં આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સહિત બે હજાર જેટલા લોકોએ કાર્યક્રમને મોટી સ્ક્રીન ઉપર નિહાળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230618_110253.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *