ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલીદાન દિવસ નિમિત્તે ઊના શહેર
તાલુકા તેમજ ગીરગઢડા મંડળ દ્વારા ઊના બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિરનું આયોજન યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યુ હતું.
જિલ્લા યુવા ભાજપના પ્રમુખ હિતેશભાઈ ઓઝા અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો. ઉના શહેર
મંડળના મહામંત્રી સુનિલભાઈ મૂલચંદાણી તેમજ કાંતિભાઈ છંગ, ઉના શહેર નગર પાલિકાના યુવા સદસ્ય વિજયભાઈ રાઠોડ,
ઉના શહેર યુવાના મહામંત્રી કિરીટભાઈ વાજા, ઉના શહેર મંડળના ઉપપ્રમુખ હિતેશભાઈ દિવેચા, ઉના નગર પાલિકાના સદસ્યના
પ્રતિનિધિ રાજુભાઈ ગૌસ્વામી, તેમજ ભૌનેશભાઈ પેસવાણી, લલીતભાઈ લાલવાણી, હિરેનભાઈ સોલંકી, કિશનભાઇ મકવાણા,
ધીરજભાઈ બારૈયા, નયનભાઈ જેઠવા, બહોરી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..


