છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
વિઓ
સમગ્ર દેશમાં આજે ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે બોડેલી નગર માં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી નિમિત્તે બપોરે અલી પુરાના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર થી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલીપુરા બોડેલી સહિત આસપાસના ગામોમાંથી ખુબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો, તેઓના પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રેલીમાં જોડાઈ આદિવાસી એકતા જીંદાબાદ ના નારા સાથે અલીપુરા બોડેલી ના રાજમાર્ગો પર ફરી બોડેલી માર્કેટ રોડ પર આવેલ વૈષ્ણવ સમાજની વાડી ખાતે પહોંચી હતી અને બોડેલી ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


