રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આગામી તા.26 ઓગસ્ટના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી તા.26 ઓગસ્ટના રોજ
સવારે 11:15 કલાકે સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ, બપોરે 03:00 કલાકથી મંત્રીશ્રી જામનગર કલેકટરશ્રીની કચેરી કોન્ફરન્સ રૂમ ખાતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
અને જામનગર શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળના પ્રશ્નો સંદર્ભે બેઠકમાં હાજરી આપશે. સાંજે 04:30 કલાકથી પશ્ચિમ
ગુજરાત વીજ કંપની લિમિટેડના જિલ્લાના પ્રશ્નો સંદર્ભે બેઠક, ડીઆઈએલઆરશ્રી સાથે જિલ્લાના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠક
અને ત્યારબાદ મંત્રીશ્રી મહેસુલ વિભાગના જિલ્લાના પ્રશ્નો સંદર્ભે સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે.
