વડોદરા
વડોદરામાં બિલ્ડર મનીષ પટેલ સામે રેરાએ કડક કાર્યવાહી કરી છે. જેતલપુર સ્થિત આવેલી વૃંદાવન સોસાયટીમાં રેરાએ બિલ્ડર મનીષ પટેલના બંગલાને સીલ કર્યો છે. રેરાના કુલ ૭ રેવન્યુ રીકવરી સર્ટીફિકેટ હેઠળ રૂપિયા ૪.૯૧ કરોડની વસુલાત માટે બંગલાને સીલ કરવામાં આવ્યો છે. રેરાએ મનીષ પટેલને બાકી રકમની ચુકવણી કરવા માટે વારંવાર નોટીસો પાઠવી હતી. છતાં રકમ ન ચુકવવામાં આવતા આખરે મીલકત સીલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ આરોપી મનીષ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાખો રૂપિયા લઈ ક્રિસ્ટલ પ્રમુખ હબમાં મિલકતનો કબજાે ન સોંપવાના આરોપ બદલ ક્રાઇમ બ્રાંચે મનીષ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધી હતી. જે બાદ અનેક ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.

