આસામમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય આફતાબ ઉદ્દીન મોલ્લાની પોલીસે ધરપકડ કરી
હિન્દુ સમુદાય વિરુદ્ધ ધારાસભ્યની ટિપ્પણી : હિંદુઓના ગુનાની સજા મુસ્લિમોને મળી’
આસામમાં કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ ઉદ્દીન મોલ્લાની પોલીસે ધરપકડ કરી છે. તેમના પર હિન્દુ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આફતાબ ઉદ્દીને એક જાહેર સભા દરમિયાન કહ્યું હતું કે હિંદુઓ એવા ગુના કરે છે જેની સજા મુસ્લિમોને મળે છે. તેમણે કહ્યું કે હિંદુઓ દ્વારા કરવામાં આવતા ગુનાઓ માટે મુસલમાનોને દોષી ઠેરવવામાં આવે છે.. ૪ નવેમ્બરે ગોલપારામાં એક મીટિંગ દરમિયાન આફતાબે કહ્યું હતું કે જ્યાં હિન્દુઓ છે ત્યાં ગેરરીતિ થાય છે, આ સાથે તેણે મંદિરના પૂજારીઓ અને સંતો વિશે પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે મંદિરના પૂજારી અને નામઘરના રખેવાળ બળાત્કારી છે. તેમના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ પછી લોકોમાં તેની સામે ગુસ્સો વધ્યો અને લોકોએ પોલીસમાં તેની ફરિયાદ કરી.. આ મામલાની ફરિયાદ મળ્યા બાદ પોલીસે કોઈપણ વિલંબ કર્યા વગર આફતાબની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ ગુવાહાટીમાં ધારાસભ્ય વાજિદ અલી ચૌધરીના ઘરેથી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબ વિરુદ્ધ દિસપુર પોલીસ સ્ટેશનમાં કલમ ૨૯૫(ટ્ઠ), ૧૫૩છ(૧)(હ્વ)/૫૦૫(૨)ૈંઁઝ્ર હેઠળ હ્લૈંઇ નોંધવામાં આવી હતી. હાલ પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે, તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.. કોંગ્રેસના ધારાસભ્ય આફતાબ ઉદ્દીન મોલ્લાની ધરપકડ પર આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આફતાબ ઉદ્દીન મોલ્લાએ કહ્યું હતું કે જ્યારે પણ બળાત્કાર કે કોઈ ગુનો થાય છે ત્યારે પૂજારીઓ અને નામઘરિયાઓનું નામ સામે આવે છે. આફતાબનું આ નિવેદન સંપૂર્ણપણે ખોટું છે. આ નિવેદન બદલ આફતાબની ધરપકડ કરવામાં આવી છે.
તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ આ મામલાને તેના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જશે.. આ સાથે આસામ કોંગ્રેસના અધ્યક્ષ ભૂપેન બોરાએ પણ આ મામલે આફતાબને કારણ બતાવો નોટિસ મોકલી છે. એમ પણ કહેવામાં આવ્યું છે કે જાે ધારાસભ્ય આફતાબ જવાબ નહીં આપે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ભૂપેન બોરાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આવા નિવેદનોનું સમર્થન કરતી નથી. આવી સ્થિતિમાં આફતાબે માફી માંગવી જાેઈએ.. આફતાબ ઉદ્દીન મોલ્લા આસામની જલેશ્વર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. વર્ષ ૨૦૨૧ માં, તેમણે છૈંેંડ્ઢહ્લ ઉમેદવાર ડૉ. રેઝા એ અમીનને લગભગ ૨૧,૯૮૦ મતોથી હરાવ્યા. ૨૦૦૧ થી ૨૦૦૬ સુધી, તેમણે જલેશ્વર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું. જાે કે, ૨૦૧૬ની ચૂંટણીમાં આફતાબ એઆઈયુડીએફના ઉમેદવાર સાહેબ ઉદ્દીન અહેમદ સામે હારી ગયા હતા. જલેશ્વર વિધાનસભા ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તીની વાત કરીએ તો અહીં ૮૬ ટકા મુસ્લિમો છે.

