Gujarat

આગ્રા રેલવે વિભાગે આઠ કોચ વંદે ભારત ટ્રેનમાં સ્થાપિત સ્વચાલિત બ્રેકિંગ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

આગ્રા રેલવે વિભાગે સ્વદેશી રીતે વિકસિત ટક્કર રોધી ઉપકરણ કવચ હેઠળ આઠ કોચ વંદે ભારત ટ્રેનમાં સ્થાપિત સ્વચાલિત બ્રેકિંગ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. એક અધિકારીએ આ માહિતી આપી. આગરા રેલવે ડિવિઝનના પબ્લિક રિલેશન ઓફિસર (ઁઇર્ં) પ્રશસ્તિ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પ્રથમ પરીક્ષણમાં, લોકો પાઇલટે બ્રેક લગાવી ન હતી, તેમ છતાં ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન રેડ સિગ્નલના ૧૦ મીટર પહેલા આપમેળે બંધ થઈ ગઈ હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ધોરણ હવે દેશની તમામ આઠ કોચવાળી વંદે ભારત ટ્રેનોમાં અજમાવવામાં આવશે. તમામ વંદે ભારત ટ્રેનો કવચ સિસ્ટમથી સજ્જ છે જે કોઈ પણ કારણસર લોકો પાઇલટ કામ કરવામાં અસમર્થ હોય તો આપોઆપ બ્રેક લગાવી શકે છે. આ સિસ્ટમને એકસાથે કામ કરવા માટે ઘણા અન્ય ઘટકોની જરૂર છે જેમ કે સ્ટેશન કવચ, ટ્રેકની સમગ્ર લંબાઈ સાથે ઇહ્લૈંડ્ઢ ટૅગ્સ અને ટ્રૅક પર કવચના ટાવર, ભારતીય રેલવે ઓપરેશનલ સુરક્ષાને વધારવા માટે તેના નેટવર્કમાં આ બધી તકનીકોને લાગુ કરવાની પ્રક્રિયામાં છે. ઉત્તર મધ્ય રેલવે ઝોનના ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર કુશ ગુપ્તાની દેખરેખ હેઠળ, મથુરા અને પલવલ વચ્ચે સવારે ૯.૩૦ વાગ્યે પરીક્ષણ શરૂ થયું અને સમગ્ર કવાયત બપોરના ૨ વાગ્યા સુધી અપ અને ડાઉન બંને દિશામાં પુનરાવર્તિત થઈ.

પ્રશસ્તિ શ્રીવાસ્તવે કહ્યું કે હવે ૧૬ કોચવાળી વંદે ભારત ટ્રેન માટે કવાયત હાથ ધરવામાં આવશે. આ પરીક્ષણ પહેલાં, ગુપ્તાની દેખરેખ હેઠળ, આગરા વિભાગે ૧૪૦ કિમી પ્રતિ કલાક અને ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે અન્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેનો માટે વધુ બે કવચ પરીક્ષણો સફળતાપૂર્વક હાથ ધર્યા હતા. આગ્રા વિભાગે મથુરા (સ્ટેશન સિવાય) અને પલવલ વચ્ચે ૮૦ કિલોમીટરના અંતરે સંપૂર્ણ કવચ નેટવર્ક વિકસાવ્યું છે. આમાં સ્ટેશન વિસ્તારો અને અન્ય સ્થળોએ ટ્રેક પર ઇહ્લૈંડ્ઢ ટૅગ્સનું સ્થાપન, સ્ટેશનો જેવા વિવિધ સ્થળોએ કવચ એકમોની સ્થાપના અને ટ્રેકની સાથે ટાવર અને એન્ટેનાની સ્થાપનાનો સમાવેશ થાય છે. રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (ઇડ્ઢર્જીં) દ્વારા વિકસિત કવચ સિસ્ટમ, જ્યારે ટ્રેન ડ્રાઈવર સમયસર કાર્ય કરવામાં નિષ્ફળ જાય ત્યારે ઈમરજન્સીમાં આપોઆપ બ્રેક લગાવી શકે છે.

આરડીએસઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હી અને આગ્રા વચ્ચેના ત્રણ ભાગોમાં ૧૨૫ કિમીનો વિસ્તાર સમગ્ર રેલ નેટવર્કનો એકમાત્ર ભાગ છે જ્યાં ટ્રેનો મહત્તમ ૧૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. ભારતમાં અન્ય તમામ વિભાગો પર, ટ્રેનો મહત્તમ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આપને જણાવી દઈએ કે આ ટ્રેનમાં કોઈ મુસાફર હોતા નથી આ માત્ર ટ્રાયલ હતું.

Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *