Gujarat

મુંબઈ પોલીસે હુક્કા બાર પર દરોડા દરમિયાન મુનવ્વર ફારૂકીની અટકાયત કરી

પ્રખ્યાત કોમેડિયન અને બિગ બોસ સીઝન ૧૭ ના વિજેતા મુનાવર ફારૂકીને મુંબઈ પોલીસે હુક્કા બારમાં દરોડા દરમિયાન અટકાયતમાં લીધો હતો. તેના સિવાય મુંબઈ પોલીસે દરોડા દરમિયાન ૧૩ અન્ય લોકોની પણ અટકાયત કરી હતી. જાે કે પૂછપરછ બાદ મુનાવર ફારૂકીને છોડી મુકવામાં આવ્યો છે. એટલે કે થોડી જ વારમાં પોલીસે મુનવ્વરને છોડી મૂક્યો. મુનવ્વરની નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે મુનવ્વર હાલમાં તેના નવા પ્રોજેક્ટ માટે મુંબઈની બહાર જઈ રહ્યો છે.

પોતાની અટકાયતના સમાચાર બાદ મુનાવર ફારૂકીએ ખુદ એરપોર્ટ પરથી પોતાની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. પોતાની પોસ્ટમાં તેણે લખ્યું છે કે હું થાકી ગયો છું પરંતુ મુસાફરી કરી રહ્યો છું. એક તરફ મુનવ્વર અને તેની ટીમ એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ દરોડા સાથે તેમનો કોઈ સંબંધ નથી, તો બીજી તરફ આ દરોડા સાથે સંકળાયેલા એક અધિકારીએ ફ્રી પ્રેસ જનરલને આપેલા નિવેદનમાં કહ્યું છે કે, “અમારી ટીમે હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા. હુક્કાના નામે તમાકુનો ઉપયોગ થતો હોવાની બાતમી મળ્યા બાદ મુંબઈ. ત્યાંથી મળી આવેલી વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને અટકાયત કરાયેલા લોકોમાં ફારૂકી પણ સામેલ છે.

વાસ્તવમાં, મુંબઈ પોલીસની સમાજ સેવા શાખાએ દરોડા પાડતા હુક્કાબારમાંથી ૧૪ લોકોની અટકાયત કરી હતી. પોલીસ તમામને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સવાલોના જવાબ આપ્યા બાદ પોલીસે મુનવ્વર ફારૂકીને છોડી મૂક્યો હતો. જાે કે મુનવ્વર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.