Gujarat

યાત્રાધામ અંબાજીમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી શિવ અને શક્તિના દર્શને

કોટેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરી અને માતાજીના કરી લીધા આશીર્વાદ
ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના અને કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી કોટેશ્વર ખાતે સીડ બોલ વાવેતર અભિયાનના શુભારંભ પ્રસંગે પધારેલા અધ્યક્ષએ આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી અને કોટેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરી રાજ્યની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ગુજરાત સહિત ભારતભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા અંબાજીમાં શિવ અને શક્તિના દર્શન કરી અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ  આશીર્વાદ મેળવ્યા હતા.