Gujarat

યાત્રાધામ અંબાજીમાં ડીજે સાથે શાળાના બાળકો, પોલીસ જવાનો મોટી સંખ્યામાં તિરંગા રેલી યોજી

આજે 15 ઓગસ્ટ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લાથી રાષ્ટ્રધ્વજ તિરંગાને ફેરવી દેશને દેશભક્તિનો સંદેશો આપ્યો હતો. આજે 15 અગસ્ટને લઈને દેશના ખૂણા ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

વહેલી સવારથી જ બાલકો સહિત સમગ્ર દેશ ભક્તિમાં રંગાઈ ગયું છે. દેશભરમાં ગામ હોય કે શહેર હોય ચારે બાજુ દેશભક્તિની ગુંજ સાંભળવા મળી રહી છે. દેશના તમામ રાજ્યોમાં આજે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ સ્વતંત્રતા દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં પણ 15 ઓગસ્ટ નિમિત્તે તમામ શાળાઓ અને સરકારી વિભાગોમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ફેરવવામાં આવ્યો હતો. આજે સવારે મોટી સંખ્યામાં પોલીસ જવાનો શાળાના બાળકો દ્વારા ડીજે સાથે તિરંગા રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા રેલી અંબાજીના વિવિધ માર્ગોથી પસાર થઈ દેશભક્તિના ગીતો સાથે નીકળી હતી.