આદિ મહોત્સવ, જે ટ્રાઈફેડ (ટ્રાઈબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, 13 થી 22 ઓક્ટોબર 2024 દરમિયાન અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાયો હતો.
આ મહોત્સવમાં સમગ્ર દેશમાં વિવિધ આદિવાસી કળાઓ અને હસ્તકલા પ્રદર્શન માટે લાવવામાં આવી હતી. મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા તેમજ તેમની કલા અને પરંપરાગત ઉત્પન્નોને વધુ મોટા સ્તરે પ્રમોટ કરવાનું હતું.
આ મહોત્સવ દરમિયાન કુલ મળીને 41.75 લાખ રૂપિયાનું નોંધપાત્ર વેચાણ થયું હતું. આ સાથે જ ટ્રાઈબલ આર્ટિસન તરફથી 22.25 લાખ રૂપિયાનું માલ ખરીદવામાં આવ્યું. આદિ મહોત્સવમાં વિવિધ રાજ્યોથી આવેલા 100 થી વધુ આદિવાસી કલાકારો અને હસ્તકલા નિર્માતાઓએ ભાગ લીધો હતો, જેમણે તેમની અનોખી અને પરંપરાગત કલા અને ઉત્પાદન પ્રદર્શિત કર્યા.
મહોત્સવને આધારે ગ્રાહકો અને કલાકારો બન્ને તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો. ગ્રાહકોને આદિવાસી ઉત્પાદનોમાં ભારે રસ હતો, અને આર્મીનિયુંથી કાપડ, ગહના, હાથથી બનેલા વસ્તુઓ જેવી અનેક વસ્તુઓની ખરીદી થઈ.
આદિવાસી કલાકારોને અને ગ્રાહકો દ્રારા આ આયોજન બદલ ટ્રાઇફેડના મેનેજર શ્રી અજીત વાછાણી અને તેમની ટીમ નો આભાર વ્યક્ત કર્યો. અને તેમના પ્રોડક્ટ્સ માટે યોગ્ય પ્લેટફોર્મ મળ્યું અને તેમના કામની પ્રશંસા થઈ.
ટ્રાઈફેડના આ આયોજનથી આદિવાસી સમાજને આગળ વધવાની અને તેમની કલા તેમજ પરંપરાગત હસ્તકલા પ્રત્યેનો લોકપ્રિયતા વધારવાની તક મળી, જે તેમના જીવન સ્તરને સુધારવામાં ખૂબ જ ઉપયોગી બની છે.
તસવીર અહેવાલ જીજ્ઞેશ પટેલ માણાવદર

