Gujarat

‘શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં, જિલ્લાના ડીપીઓને અભ્યાસલક્ષી સૂચનાઓ આપવામાં આવેલ છે’

અંબાજી ખાતે શિક્ષણમંત્રીનું શાળાના શિક્ષકોની ઘટને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈને ગ્રામજણાએ તાળાબંધી કરી હતી. શાળામાં બાળકોને ભણતર પર અસર પડી રહી છે.

ત્યારે અંબાજી ખાતે આવેલા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સામે મીડિયા દ્વારા શાળાને લઈ સવાલો કરતા જણાવ્યું હતું કે, હાલમાં આ બાબતે મને કોઈપણ જાણકારી નથી પણ યોગ્ય જાણકારી મેળવી તેની યોગ્ય તપાસ કરવામાં આવશે.

તેવું કહેતા શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં. આ બાબતે જિલ્લાના ડીપીઓને અભ્યાસલક્ષી સૂચનાઓ આપવામાં આવેલ છે. મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે શાળાઓમાં શિક્ષકની ધટ છે પણ અભ્યાસ બગડશે નથી.

બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સરકારી શાળામાં માત્ર બે જ શિક્ષકો ફરજ બજાવતા અન્ય બાળકોનું અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે આ બાબતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે અને જિલ્લાના ડીપીઓ દ્વારા શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે પણ પૂરતું ધ્યાન આપવા માટે જે તે જ અધિકારીને જણાવેલ છે.