National

પ્રધાનમંત્રીશ્રીના વતન વડનગરમાં યોજાઈ ‘સુશાસન પદયાત્રા’

અટલ બિહારી વાજપેયીજીની ૧૦૦મી જયંતીની ઉજવણી અંતર્ગત ડૉ. મનસુખ માંડવિયાના નેતૃત્વમાં વડનગરમાં ૮ કિલોમીટર લાંબી ‘સુશાસન પદયાત્રા’ યોજાઈ

૧૫,૦૦૦થી વધુ સ્રૂ મ્રટ્ઠટ્ઠિં યુવા સ્વયંસેવકો જાેડાયા દર મહિને બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશેઃ ડૉ. મનસુખ માંડવિયા સ્રૂ મ્રટ્ઠટ્ઠિં પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૧.૬૫ કરોડ યુવાનો જાેડાયા છે. આ પ્લેટફોર્મ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ સાથે કનેક્ટ કરે છેઃ ડૉ. મનસુખ માંડવિયા

ભારતીય બંધારણની ૭૫મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ૨૪ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ગુજરાતના વડનગર ખાતે ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત ૮ કિલોમીટર લાંબી સુશાસન પદયાત્રા યોજાઈ હતી.

આ પ્રસંગે યુવા બાબતો અને ખેલ રાજ્ય મંત્રી શ્રીમતી રક્ષા ખડસે; ગૃહ મંત્રી, રમતગમત, યુવા બાબતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ આ ઐતિહાસિક પદયાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગર ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને આ ઉજવણીમાં એક અનોખું સાંસ્કૃતિક પરિમાણ ઉમેરે છે. પદયાત્રામાં સ્થાનિક યુનિવર્સિટીઓ, કોલેજાે, એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના ૧૫,૦૦૦થી વધુ સ્રૂ મ્રટ્ઠટ્ઠિં યુવા સ્વયંસેવકો સક્રિયપણે જાેડાયા હતા. આ પ્રસંગે મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

દર મહિને બે સ્થળો પર આવી પદયાત્રા યોજવામાં આવશે. સ્રૂ મ્રટ્ઠટ્ઠિંનો આ કાર્યક્રમ યુવાનોનો કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી મોદીજી કહે છે કે, વિકસિત ભારતમાં યુવાનોની ભાગીદારી હોવી જાેઈએ. વર્ષ ૨૦૪૭માં દેશને વિકસિત દેશ બનાવવા માટે સ્રૂ મ્રટ્ઠટ્ઠિંને સિંગલ વિન્ડો તરીકે જાેવું જાેઈએ. શ્રી મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે, સ્રૂ મ્રટ્ઠટ્ઠિં પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં ૧.૬૫ કરોડ યુવાનો જાેડાયા છે. આ પ્લેટફોર્મ નેશનલ કરિયર સર્વિસ પોર્ટલ સાથે કનેક્ટ કરે છે. વિશ્વની ૩૫ લાખથી પણ વધુ કંપનીઓ આ પ્લેટફોર્મ સાથે જાેડાઈ છે.

આ પ્લેટફોર્મ ઈ-માઈગ્રેન્ટ પોર્ટલથી વિશ્વભરની સરકાર અને કંપનીઓમાં નોકરીની ઉપલબ્ધતા અપાવે છે. સ્રૂ મ્રટ્ઠટ્ઠિં પોર્ટલ યુવાનોની આશાઓ, આકાંક્ષાઓની પૂર્તિ કરે છે. યુવાઓના સંઘર્ષ અને સમર્પણથી નવા ભારતનું નિર્માણ થશે અને દેશના નિર્માણ માટે પોતાના કર્તવ્યનું ર્નિવહન કરશે.

યુવાન નાગરિકોના જાેડાણને વધુ ગાઢ બનાવવા માટે કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થીમ આધારિત સેલ્ફી પોઇન્ટ્‌સ સામેલ છે. યાદગાર પળોને કેપ્ચર કરવા માટે ખાસ ડિઝાઇન કરેલા સ્થળો તૈયાર કરાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો, શૈક્ષણિક પ્રદર્શનો અને અટકબિંદુઓ પર ઇન્ટરેક્ટિવ સત્રો, જે અટલ બિહારી વાજપેયીજીનાં ભારતની લોકતાંત્રિક લાક્ષણિકતામાં પ્રદાનને પ્રદર્શિત કરે છે.

ડો. માંડવિયા એક વર્ષ દરમિયાન જે ૧૨ પદયાત્રાઓ હાથ ધરશે, તેમાંથી આ પદયાત્રા ચોથી છે, જે દરેક યાત્રા યુવાનોને પ્રેરિત કરવા અને ભારતના સમૃદ્ધ વારસાની ઉજવણી કરવા માટે એક અનોખી થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૮ કિલોમીટર લાંબી આ કૂચ તાનારીરી ગ્રાઉન્ડથી શરૂ થઈ અને તાનારીરી મંદિર ખાતે સમાપન થઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન સાથે જાેડાયેલા વિવિધ સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા હતા.

આ પદયાત્રામાં શ્રી અટલ બિહારી વાજપેયીનાં જીવન અને વારસાની ઉજવણી કરવાનાં માર્ગ પર નિર્ધારિત સ્થળો પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા તથા ‘વિકસિત ભારત ૨૦૪૭’નાં નિર્માણમાં બંધારણીય મૂલ્યોનાં મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પદયાત્રા અટલ બિહારી વાજપેયીને અપ્રતિમ વારસો અને લોકશાહી સિદ્ધાંતો પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતાને શ્રદ્ધાંજલિ છે. તે બંધારણીય મૂલ્યોને જાળવવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનમાં યુવાનોનાં મહત્ત્વ પર પણ ભાર મૂકે છે.