નવી દિલ્હી
ભાજપ સંસદીય દળની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સાંસદોને સદનમાં હાજર રહેવુ જાેઈએ. જાેકે, આ દરમિયાન પીએમ મોદીએ આકરુ વલણ અપનાવ્યુ. તેમણે કહ્યુ, દર વખતે એ કહેવુ યોગ્ય નથી કે સદનમાં રહેવાની સૌથી જવાબદારી છે. પીએમે કહ્યુ, જાે બાળકોને પણ વારંવાર ટોકવામાં આવે તો તેમને પણ સારુ લાગતુ નથી. પોતાનામાં પરિવર્તન લાવો, નહીંતર પરિવર્તન તો આપમેળે જ આવી જાય છે. પીએમ મોદી પહેલા પણ સાંસદોને સદનમાં હાજર રહેવા માટે કહી ચૂક્યા છે. પીએમ મોદીએ સાંસદોને સૂર્ય નમસ્કાર કરવાની સલાહ પણ આપી. તેમણે કહ્યુ, તમામે સૂર્ય નમસ્કાર કરવા જાેઈએ અને તેની સ્પર્ધા કરો આનાથી સૌ સ્વસ્થ રહેશો. પીએમ મોદીએ કહ્યુ, ૧૩ એ હુ કાશી જઈ રહ્યો છુ. પહેલીવાર હુ આપ સૌને ત્યાં આવવાનુ કહીશ નહીં કેમ કે સંસદ ચાલી રહ્યુ છે. તેથી આપ તમામને સંસદમાં રહેવુ જાેઈએ. આપ સૌ પોત પોતાના ક્ષેત્રમાં અહીંથી લોકોને કાશી કાર્યક્રમ શ્રેષ્ઠ રીતે જાેવાની વ્યવસ્થા કરવી જાેઈએ. તેમણે કહ્યુ, હુ ૧૪ ડિસેમ્બરે ચાય પર ચર્ચા પણ કરીશ. બનારસના તમામ જિલ્લા પદાધિકારીઓ સાથે ચા પર મળીશ. પીએમ મોદીએ બેઠકમાં કહ્યુ, પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માન આપો. વડા પ્રધાને સાંસદોને પોત પોતાના ક્ષેત્રમાં ચાલી રહેલા ખેલ અભિયાનને માત્ર એક મહિનામાં જ ખતમ કરવો જાેઈએ નહીં પરંતુ દર મહિને અલગ અલગ રમતનુ આયોજન કરવુ જાેઈએ. ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ સાંસદોને નિર્દેશ આપ્યો કે સત્રના સમાપન બાદ આપ સૌએ પોત પોતાના સંસદીય ક્ષેત્રના તમામ જિલાધ્યક્ષો, મંડળ અધ્યક્ષો અને અન્ય પદાધિકારીઓની સાથે ચાય પર ચર્ચા કરવી જાેઈએ. જે બાદ પીએમ મોદીએ કહ્યુ, હુ અધ્યક્ષ જી ના નિર્દેશનુ ૧૪ તારીખે જ પાલન કરીશ જ્યારે કાશીમાં રહીશ. તે દિવસ હુ બનારસના તમામ પદાધિકારીઓની સાથે ચાય પર ચર્ચા કરીશ. સંસદના શિયાળુસત્ર દરમિયાન મંગળવારે ભાજપના સંસદીય દળની બેઠક થઈ. બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા. આ દરમિયાન પીએમ મોદીએ સાંસદોની હાજરીને લઈને શિખામણ આપી. પીએમ મોદીએ કહ્યુ, સાંસદોને સદનમાં હાજર રહેવુ જાેઈએ. સાંસદ લોકોના હિતમાં કામ કરે.


