Gujarat

1400 ઝુંપડા સહિત તમામ દબાણો હટાવવા 6 દિવસની ઝુંબેશ શરૂ, 30 ટીમો કામે લાગશે

પાટનગર યોજના વિભાગે ગાંધીનગરને દબાણમુક્ત બનાવવા મોટું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 21થી 26 એપ્રિલ સુધી ચાલશે. શહેરના 30 સેક્ટર અને 7 શહેરી ગામોમાં દબાણો દૂર કરવામાં આવશે. વિભાગે 30 ટીમો બનાવી છે. દરેક ટીમ સાથે બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત રહેશે. શહેરમાંથી કુલ 1400 જેટલા ઝુંપડા અને લારી-ગલ્લાના દબાણો હટાવવામાં આવશે.

ગાંધીનગરમાં જમીનની માલિકી પાટનગર યોજના વિભાગની છે. અગાઉ પણ દબાણ હટાવવાની ઝુંબેશ થઈ છે. પરંતુ દબાણ હટાવ્યા પછી ગણતરીના કલાકોમાં જ ફરી દબાણો થઈ જતા હતા. રાજકીય દબાણ અને કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે દબાણો દૂર થતા નથી.

આ વખતે સમગ્ર કામગીરી ઝુંબેશ સ્વરૂપે હાથ ધરાશે. જેથી કોઈ રાજકીય દબાણ ન આવે. વિભાગે અગાઉ દબાણમુક્ત કરેલી જગ્યાઓ પર ફેન્સિંગ કર્યું હતું. પરંતુ લોકો ફેન્સિંગ તોડીને અંદર રહેવા લાગ્યા હતા. એંગલો ચોરીને વેચી દેવાતા હતા. હવે વિભાગ સેક્ટર-6માં પ્રાયોગિક ધોરણે પ્રિકાસ્ટ વોલ બનાવશે.