બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી પડી છે. જિલ્લાના અમીરગઢ, ઈકબાલગઢ અને પાલનપુર સહિતના વિસ્તારોમાં મધરાતે ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડ્યા છે. વરસાદ દરમિયાન મેઘગર્જના સાથે ભારે પવન ફૂંકાયો હતો.

આ કારણે બાજરી જેવા પાકોને નુકસાન થવાની સંભાવના છે. જોકે, વરસાદના કારણે ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે જિલ્લામાં માવઠું થશે, જે સાચી સાબિત થઈ છે. આ વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે.

