ભારતીય કિસાન સંઘ જિલ્લા કારોબારી દ્વારા પી.જી.વી.સી.એલના ધાંઘીયા સામે બેઠક યોજી આવેદનપત્ર પાઠવ્યું
અમરેલી ભારતીય કિસાન સંઘ જિલ્લા કારોબારી ની બેઠક યોજી વીજ પ્રશ્ને પીજીવીસીએલ વર્તુળ કચેરી અધિક્ષક ને આવેદન પત્ર પાઠવ્યું ખેતીવાડી ને વિજ પૂરવઠો પુરો મળે તેમજ વિધુત ફોલ્ટ હોય તેનો તાત્કાલિક ઉકેલ કરી પુરો પાવર આપવામાં આવે અને સત્વરે કાર્યવાહી થાય તે પ્રશ્નો માટે અધિક્ષક ઈજનેર સાથે બેઠક યોજી ભારતીય કિસાન સંઘ જિલ્લા કારોબારી તેમજ પ્રદેશ કારોબારી તેમજ જિલ્લાના ખેડૂતો વતી અધિક્ષક ને પ્રેમથી નમ્ર અરજ સાથે વાત કરવામાં આવેલ.કે હમણાં તાજેતરમાં થોડાસમય પહેલા સારો પહેલા સારો વરસાદ થયેલ હોય જે વરસાદમાં ખેડૂતોએ મગફળી, કપાસ તેમજ અન્ય પાકોનું વાવેતર કરેલ હોય હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલ પાકમાં પિયત આપવાનું હોય હાલ જિલ્લામાં દરેક તાલુકાના ફિડરોમાં યુરો ૮ કલાક ખેતીવાડી વિજ પુરવઠો મળતો નથી. અવારનવાર પાવર ફોલ્ટમાં જાય છે. ખેડૂત દ્વારા ફોલ્ટ સેન્ટરમાં ફોલ્ટ લખાવ્યો હોય તરત ફોલ્ટ રીપેર થતો નથી. બેથી ત્રણ દિવસે ફોલ્ટ રીપેર થાય છે.તો દરેક તાલુકા પીજીવીસીએલ કચેરીએ પુરો સ્ટાફ હાજર રહે.અને તરત જ ફોલ્ટ રીપેર કરવામાં આવે તેમજ હજુ બે દિવસ પહેલા લીલીયા તાલુકાના ગોઢાવદર ગામે ખેડૂતે પોતાના ખેતરમાં વિજ પોલ ઉપર જંપર સ્પાર્ક થતું હોય તેવી રજૂઆત કરવા છતાં રીપેર કરેલ નથી.તેના નીચે તીખારા પડતા ખેડૂતની ઉભી જુવાર આશરે બે વિધાની સળગી ગયેલ હોય. તો ખેડૂતના ખેતર જઈ સર્વે કરી તાત્કાલિક વળતર ચુકવવામાં આવે.તેમજ સંબંધિત અધિકારી સામે પગલા લેવામાં આવે તેમજ દરેક ડીવીઝન તેમજ સબ ડીવીઝનમાં સ્ટાફ ઘટતો હોય. તો પૂર્ણ કરી તાત્કાલિક લાઇનો રીપેર કરી વિજપુરવઠો ખેતીમાં પુરો મળે તેવી વ્યવસ્થા કરે.તેમજ બાબરાના ગમાપીપળીયામાં ૧ મહિનો થવા છતાં ટીસી વાવાઝોડામાં પડ્યા પછી ચડાવેલ નથી. તો આવા ખેડૂતોના ઘણાં પ્રાણ પ્રશ્નો સાંભળી તાત્કાલિક ઉકેલ કરવામાં આવે તેમ વાત કરી આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ લાલજીભાઈ વેકરીયા જિલ્લા મંત્રી કૌશીક ગજેરા પૂર્વ પ્રદેશમંત્રી સામતભાઇ જેબલીયા પૂર્વ જિલ્લા પ્રમુખ સાંગાભાઈ સાવલિયા ધીરૂભાઈ ધાખડા ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઇ પાનશેરીયા, પૂર્વ લીલીયા પ્રમુખ પ્રફુલ્લ ગજેરા પૂર્વ જિલ્લા મંત્રી બબાભાઈ વરૂ તેમજ હસમુખભાઇ, બાલુભાઈ ગઢીયા વગેરે કાર્યકર્તાની હાજરીમાં અધિક્ષક ઈજનેરશ્રીને આવેદનપત્ર આપી વીજ પુરવઠો યોગ્ય રીતે નિયમન થવા માંગ કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા