Maharashtra

ઓમિક્રોન વેરિઅન્ટ બૂસ્ટર ડોઝ પછી ૮૦ થી ૮૫.૯ ટકા પ્રોટેક્શન આપે છે

મુંબઈ
ઓમિક્રોનથી બચવા માટે, યુકે સહિત વિશ્વભરના લોકોને વાયરસ સામે લડવા માટે બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી રહી છે. એન્ટિબોડી વાયરસને વળગી રહે છે અને તેને કોષોમાં પ્રવેશતા અને બદલાતા અટકાવે છે. અધ્યયનોએ દર્શાવ્યું છે કે, આ એન્ટિબોડીઝની વાયરસને દૂર કરવાની ક્ષમતા સંપૂર્ણપણે રસીવાળા લોકોમાં ૨૦ થી ૪૦ ગણી ઘટી છે. ઈમ્પીરીયલ કોલેજનું પ્રારંભિક કાર્ય માને છે કે ઓમિક્રોન સામેની રસીની અસરકારકતામાં ઘટાડો થશે. ઓમિક્રોન વેરિઅન્ટ બૂસ્ટર ડોઝ પછી ૮૦ થી ૮૫.૯ ટકા પ્રોટેક્શન આપે છે, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટમાંથી ૯૭ ટકા પ્રોટેક્શન મળે છે. જાે કે, રોગપ્રતિકારક તંત્રના અન્ય ભાગો છે, જેમ કે ટી કોષો, જે કોવિડ સામે પણ લડી શકે છે. જાે કે, અભ્યાસમાં તેમની અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. ઈમ્પીરીયલ સંશોધકોમાંના એક પ્રોફેસર અઝરા ગનીએ જણાવ્યું હતું કે, અનિશ્ચિતતાઓમાંની એક એ છે કે ઓમિક્રોન વેરિયન્ટ્‌સથી થતા રોગની સરખામણી અગાઉના વેરિએન્ટને કારણે થતા રોગ સાથે કરવામાં આવે છે. જાે કે, તેને સંપૂર્ણ રીતે સમજવામાં કેટલાક અઠવાડિયા લાગી શકે છે. કોઈપણ સંભવિત અસરને ઘટાડવા માટે સરકારોએ હવે આયોજન કરવાની જરૂર પડશે. અમારા પરિણામો વ્યાપક જાહેર આરોગ્ય પ્રતિભાવના ભાગરૂપે બૂસ્ટર ડોઝ આપવાનું મહત્વ દર્શાવે છે.કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં ખળભળાટ મચ્યો છે. આ દરમિયાન બ્રિટનથી રાહતના સમાચાર સામે આવ્યા છે. બ્રિટિશ સંશોધકોએ ઓમીક્રોન વેરિયન્ટ પર બૂસ્ટર ડોઝની અસર શોધી કાઢી છે. તેમણે કહ્યું કે, બૂસ્ટર ડોઝ ઓમિક્રોન વેરિઅન્ટથી ગંભીર રીતે બીમાર થવાથી ૮૫ ટકા સુધીનું રક્ષણ આપે છે. બૂસ્ટર ડોઝ કોવિડના જૂના પ્રકારો સામે થોડું ઓછું રક્ષણ પૂરું પાડે છે. પરંતુ આનો અર્થ એ પણ છે કે, જાે સંપૂર્ણ રસીકરણ કરાયેલ લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવે તો તેઓને હોસ્પિટલમાં દાખલ થવાથી બચાવી શકાય છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનની ટીમ દ્વારા આ જાણકારી મળી છે. તેમણે ઓમિક્રોન વેરિઅન્ટ વિશે ઉપલબ્ધ મર્યાદિત માહિતીના આધારે બૂસ્ટર ડોઝની અસરકારકતા વિશે માહિતી આપી છે. સંશોધકો કહે છે કે, જ્યાં સુધી આ નવા પ્રકાર વિશે વધુ વાસ્તવિક માહિતી એકત્ર કરવામાં ન આવે ત્યાં સુધી અનિશ્ચિતતા છે. નિષ્ણાતો હજુ પણ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ઓમિક્રોન કેટલું હળવું કે ગંભીર હશે. રસી દ્વારા શરીર કોવિડ સામે કેવી રીતે લડવું તે શીખે છે. પરંતુ હાલમાં ઉપયોગમાં લેવાતી રસી વધુ પરિવર્તિત ઓમિક્રોનનો સામનો કરવા માટે તૈયાર નથી. આનો અર્થ એ છે કે વર્તમાન રસીઓ ઓમીક્રોન વેરિઅન્ટ માટે યોગ્ય મેચ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *