International

મેડાગાસ્કરના દરિયામાં જહાજ ડૂબી જતા ૧૭ના મોત ઃ ૬૮ લાપતા

મેડાગાસ્કર
સોનીરાના ઇવોન્ગો બંદર તરફથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે. તે કાર્ગો શિપ તરીકે નોંધાયેલ હોવાથી તે મુસાફરોને લઈ જવા માટે અધિકૃત નથી અને એન્ટાનામ્બે સત્તાવાર બંદર નથી. જહાજના હલમાં એક કાણું પડી જતા ડૂબી ગયું હતું.મેડાગાસ્કરનું આખું નામ રિપબ્લિક ઓફ મેડાગાસ્કર છે. જે આફ્રિકાના દક્ષિણ કિનારે હિંદ મહાસાગરમાં આવેલો ટાપુ દેશ છે. આ દેશમાં વસાહતીઓ બોર્નિયો ટાપુમાંથી આવ્યા હતા. જે હવે બ્રુનેઈ, ઇન્ડોનેશિયા અને મલેશિયા વચ્ચે વહેંચાયેલું છે.મેડાગાસ્કરના ઉત્તરપૂર્વ કિનારે ગેરકાયદેસર રીતે ૧૩૦ મુસાફરોને લઈ જતું કાર્ગો જહાજ ડૂબી ગયું, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકોના મોત થયા અને ૬૮ ગુમ થયા. હિંદ મહાસાગરના પાણીમાંથી ઓછામાં ઓછા ૪૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ફ્રાન્સિયા નામનું વહાણ સોમવારે વહેલી સવારે પૂર્વ મનારા ઉત્તરી જિલ્લાના અંતનામ્બે શહેરમાંથી નીકળી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *