મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને હટાવવા માટે વિપક્ષે શુક્રવારે રાજ્યસભામાં નોટિસ આપી. તેના પર ૭૩ સાંસદોની સહીઓ છે. આ પહેલા માર્ચમાં વિપક્ષે જ્ઞાનેશ કુમારને હટાવવા માટે સંસદમાં નોટિસ આપી હતી. જાેકે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્યસભાના સભાપતિ સીપી રાધાકૃષ્ણને આ નોટિસોને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપો તેમને હટાવવા માટે જરૂરી ઉચ્ચ બંધારણીય માપદંડોને પૂર્ણ કરતા નથી.લોકસભામાં CEC ને હટાવવાના પ્રસ્તાવ માટે ઓછામાં ઓછા ૧૦૦ સાંસદોની સહીઓ જરૂરી હોય છે. રાજ્યસભામાં તેના માટે ઓછામાં ઓછા ૫૦ સાંસદોની સહીઓ જરૂરી હોય છે.મુખ્ય ચૂંટણી કમિશનરને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે રીતે હટાવવામાં આવે છે તે જ રીતે હટાવી શકાય છે. અન્ય ચૂંટણી કમિશનરોને હટાવવા માટે મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ જરૂરી હોય છે.જજિસ (ઇન્ક્વાયરી) એક્ટ ૧૯૬૮ અનુસાર, જાે બંને ગૃહોમાં એક જ દિવસે નોટિસ આપવામાં આવે તો તપાસ સમિતિ ત્યારે જ બનશે જ્યારે બંને ગૃહોમાં પ્રસ્તાવ સ્વીકારવામાં આવશે. આ પછી લોકસભા સ્પીકર અને રાજ્યસભા ચેરમેન મળીને એક સંયુક્ત તપાસ સમિતિ બનાવશે.

