ગિરગઢડા
ભરત ગંગદેવ.
માનનીય પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજી ની જન્મ જયંતિ નિમિત્તે “સુશાસન સપ્તાહ”ની ઉજવણી અન્વયે આજરોજ ઉના તાલુકાના વાંસોજ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું.
આ કાર્યક્રમમાં ઉના મામલતદાર ઉના ટી.ડી.ઓ નાયબ કલેક્ટર, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ હરીભાઇ સોલંકી, તથા તાલુકા પંચાયત ના હોદેદારો, તાલુકા પંચાયતના સભ્ય મોહનભાઇ વાજા તેમજ વાંસોજ ગામના સરપંચ ગંગાબેન વાજા, ખંડેરા ના સરપંચ પ્રવીણભાઈ બાભણિયા, અન્ય ગામના સરપંચ ઓ અને ગ્રામજનો તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
રાજ્યના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.


