Maharashtra

આઈપીએલની અમદાવાદ ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરા

મુંબઈ
અમદાવાદની ટીમે હજુ ઔપચારિક જાહેરાત કરી શકતી નથી કારણ કે તે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ મળ્યા બાદ જ કરી શકાશે. આ ત્રણેયની અમદાવાદની ટીમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી છે અને તેમની આ સિઝન માટે પસંદગી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે નેહરા આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) ના કોચ રહી ચૂક્યા છે. આશિષ નેહરાએ ૈંઁન્માં ૮૮ મેચ રમી છે અને તેણે ૧૦૬ વિકેટ લીધી છે. બીજી તરફ ગેરી કર્સ્‌ટન બેંગ્લોરના બેટિંગ કોચ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે કોચિંગનો લાંબો અનુભવ છે. વિક્રમ સોલંકીની વાત કરીએ તો ઈંગ્લેન્ડના આ ભૂતપૂર્વ ક્રિકેટરને ૩૨૫ ફર્સ્‌ટ ક્લાસ મેચ અને ૪૦૨ લિસ્ટ છ મેચોનો અનુભવ છે. સોલંકીએ ઈંગ્લેન્ડ માટે ૫૧ ર્ંડ્ઢૈં અને ૩ ્‌૨૦ મેચ પણ રમી છે. અમદાવાદની ટીમની વાત કરીએ તો માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર (જીરિીઅટ્ઠજ ૈંઅીિ) આ ટીમની કમાન સંભાળી શકે છે. છેલ્લી ૈંઁન્માં ઈજા બાદ અય્યરને સ્થાને ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સ દ્વારા કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. એવા પણ અહેવાલ છે કે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા પણ અમદાવાદની ટીમ સાથે જાેડાઈ શકે છે.ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા અમદાવાદ ૈંઁન્ ટીમના મુખ્ય કોચ હશે જ્યારે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓપનર વિક્રમ સોલંકી તેના ક્રિકેટ ડિરેક્ટર હશે. ભૂતપૂર્વ વર્લ્‌ડ કપ વિજેતા ભારતના કોચ ગેરી કર્સ્‌ટન આ ટીમના મેન્ટર હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *