ઉતરપ્રદેશ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે ભાજપ સરકારે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના દ્વારા પછાત લોકોને આવાસ, સુરક્ષા આપી છે. ૨.૬૧ કરોડ ગરીબોને શૌચાલય, વીજળી પણ ભાજપની ડબલ એન્જિન સરકારે આપી છે. ભાજપ સરકારે રાશનનો ડબલ ડોઝ પણ આપ્યો છેસીએમ યોગીએ વધુમાં કહ્યું કે જે લોકો પાર્ટી છોડી દે છે તેઓ અસંતુષ્ટ આત્મા છે. તેઓએ ભટકતા રહેવું જાેઈએ અને તેઓ ભટકતા રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ૨૦૧૨ થી ૨૦૧૭ વચ્ચે ૧૮ હજાર મકાનો જારી કરવામાં આવ્યા હતા પરંતુ કોઈને મળ્યા નથી. અમારી સરકારમાં ૪૩ લાખથી વધુ લોકોને મકાન મળ્યા, શું તેઓ ગરીબ ન હતા? પ્રથમ કોરોના વેવમાં, ૫૪ લાખ કામદારોને ભરણપોષણ ભથ્થું આપવામાં આવ્યું હતું. ત્રીજા વેવમાં ૩ કરોડ લોકોને ભરણપોષણ ભથ્થું આપવામાં આવ્યું, શું તેઓ દલિત, પછાત, વંચિત નથી.પટેલને સન્માન આપવાને બદલે સમાજવાદી પાર્ટી જિન્નાને સન્માન આપે છે. સરહદ પર જવાનો પર વાર કરનાર પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે. જે પણ પાકિસ્તાનને મૈત્રીપૂર્ણ રહેવાનું કહે છે તેને પૂછવું જાેઈએ કે તેનો ઈરાદો શું છે?ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ ‘જિન્ના’ના પૂજારી છે, અમે ‘સરદાર પટેલ’ના પૂજારી છીએ. પાકિસ્તાન તેમને વહાલું છે, અમે મા ભારતી પર અમારા જીવનો બલિદાન આપીએ છીએ. તમને જણાવી દઈએ કે એક ચૂંટણી પ્રચાર દરમિયાન સપા પ્રમુખે જિન્ના વિશે નિવેદન આપ્યું હતું. ત્યારપછી વિધાનસભા ચૂંટણીમાં જિન્નાની એન્ટ્રી થઈ હતી. આ સાથે જ અખિલેશ યાદવે ચીન અને પાકિસ્તાનને લઈને પણ નિવેદન આપ્યું છે. હવે આ ટિ્વટને સીએમ યોગીનો અખિલેશ યાદવ પર પ્રહાર તરીકે જાેવામાં આવી રહ્યો છે.


