નવીદિલ્હી
‘ભારતમાં મૃત્યુદંડ’ના આ આંકડાઓની સરખામણી ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ’ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતના જેલના આંકડાકીય અહેવાલના આંકડા સાથે કરવામાં આવે છે, અહીં તફાવત સ્પષ્ટ દેખાય છે. ‘નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ’એ એક સર્વેમાં જણાવ્યું છે કે મૃત્યુદંડની સજાની આ સંખ્યા ૨૦૦૪ પછી સૌથી વધુ છે. ત્યારબાદ ૨૦૦૪માં ૫૬૩ કેદીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. જ્યારે ટ્રાયલ કોર્ટે ૨૦૨૧માં કુલ ૧૪૪ મૃત્યુદંડની સજા સંભળાવી હતી, ત્યારે ઉચ્ચ અદાલતે તે જ સમયગાળામાં ફક્ત ૩૯ કેસોમાં મૃત્યુદંડનો ર્નિણય કર્યો હતો. આ સિવાય હાઈકોર્ટે વર્ષ ૨૦૨૦ની સરખામણીમાં મૃત્યુદંડ સંબંધિત ૩૧ કેસોનો ર્નિણય કર્યો. ૨૦૧૯માં આ સંખ્યા ૭૬ હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મૃત્યુદંડના કેસોને પ્રાથમિકતા પર સૂચિબદ્ધ કર્યા હોવા છતાં આખા વર્ષમાં માત્ર ૬ કેસનો ર્નિણય કર્યો હતો. આ સંખ્યા ૨૦૨૦માં ૧૧ અને ૨૦૧૯માં ૨૮ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટ દ્વારા મૃત્યુદંડની સજાના ૩૯ કેસમાંથી માત્ર ચારમાં જ મૃત્યુદંડની પુષ્ટિ થઈ હતી, જ્યારે ૧૮ને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. આ સિવાય ૧૫ને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને બે કેસ ટ્રાયલ કોર્ટમાં પાછા મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નીચલી અદાલતોએ મૃત્યુદંડની સજા સંભળાવી હોય તેવા મોટાભાગના કેસોમાં હત્યા સામેલ છે. એવું પણ જાેવામાં આવ્યું છે કે જાતીય ગુનાઓ માટે મૃત્યુદંડ આપવાનું વધતું વલણ ઘટ્યું છે.ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેદીઓને ફાંસીની સજા આપવાના કેસમાં વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૧માં મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની સંખ્યા ૪૮૮ પર પહોંચી ગઈ છે, જે છેલ્લા ૧૭ વર્ષમાં સૌથી વધુ છે. જે વર્ષ ૨૦૨૦માં મૃત્યુદંડના આંકડા કરતાં લગભગ ૨૧ ટકા વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના રોગચાળાને કારણે કોર્ટના મર્યાદિત કામકાજને કારણે મૃત્યુદંડ સંબંધિત કેસોને આપવામાં આવતી પ્રાથમિકતા પર અસર પડી છે અને તેથી જ તેમાં વધારો જાેવા મળ્યો છે.
