ગત તારીખ 03 ફેબ્રુઆરી 2022 ના રોજ દિલ્લી ખાતે જૂનાગઢ લોકસભા સંસદ શ્રી રાજેસભાઇ ચુડાસમા ના નિવાસ સ્થાને
અર્જુનભાઈ આંબલિયા, તરુણભાઇ આહીર, વસંતભાઈ દેસાઈ દ્વારા જૂનાગઢ લોકસભા સંસદ શ્રી રાજેસભાઇ ચુડાસમા, રાજકોટ લોકસભા સંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા તેમજ પાટણ લોકસભા સંસદ શ્રી ભરતસિંહ ડાભી ઠાકોર ને રૂબરૂ મળી ને ગૌમાતા માટે ચાલતી લડત ની સંપૂર્ણ માહિતી આપી સંસદ માં મુદ્દો ઉઠાવવા માટે આવેદન પત્ર પાઠવ્યું.
ત્યારે ત્રણેય સંસદ શ્રીઓ આ ગૌમાતા માટે ની લડાઈ થી ખુબ જ પ્રભાવિત થયા અને વચન આપ્યું કે આ લડત ની વાત ઉપર સુધી પહોંચાડીશું.
ત્યારે લોકો ના મન માં અનેકો પ્રશ્ન છે કે હજુ ગાય અને ગૌવંશ ની તસ્કરીઓ તેમજ હત્યાઓ થાય છે તેમજ રોડ રસ્તા પર લાચાર રીતે પ્લાસ્ટિક ખાતા ગૌવંશ ની સામે સરકાર ક્યારે જોશે
ઘણા અકસ્માતો આ ગૌવંશ ના કારણે થાઇ છે, ઘણા લોકો એ જીવ પણ ગુમાવ્યા છે અને ખેડુતો ના ખેતર માં પણ આ રસ્તે રઝળતું ગૌધન ઘુસી જાય છે?
હવે જોવા નું એ રહ્યું કે કેન્દ્ર સરકાર ગાય માતા ને રાષ્ટ્રીય સન્માન આપી સુરક્ષા કવચ તેમજ મૌલિક અધિકાર આપશે કે કેમ ?
અહેવાલઃ વજસી વરવારીયા: મોટા આસોટા


