Gujarat

ભરૂચની દેવભૂમિ સોસાયટીના બંધ મકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો

ભરૂચ
મૂળ આણંદના બુધેજ ગામના અને હાલ ભરુચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવભૂમિ સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ નારસિંહ રાઠોડ ગત તારીખ-૩જી ફેબ્રિઆરીના રોજ પોતાનું મકાન બંધ કરી વતન ખાતે લગ્ન પ્રસંગે સહપરિવાર ગયા હતા. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હર્ત તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ રોકડા રૂપિયા ૨૫ હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ ૫૮ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરુચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલી દેવભૂમિ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા ૨૫ હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *