સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર આરટીઓ કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકને પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવે છે. જેમાં આરટીઓ કચેરીમાં દ્વીચક્રી તેમજ ફોરવ્હીલ વાહનના નંબર માટે ઈ-ઓક્શન કરવામાં આવે છે. આ નંબરો માટે ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું રજિસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી ઓનલાઈન રંંॅઃ//ॅટ્ઠિૈદૃટ્ઠરટ્ઠહ.ર્ખ્તદૃ.ૈહ/કટ્ઠહષ્ઠઅ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે. તંત્ર દ્વારા નક્કી કરેલા નિયત સમયમર્યાદા સુધીમાં ઈ-ઓક્શન માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. રજિસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ તંત્રની કચેરીમાં જમા કરાવવાના રહે છે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકે છે. ત્યારે પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદા જુદા વાહનોના પસંદગીના નંબર માટે અનેક અરજીઓ આવી હતી. જેના કારણે પસંદગીના નંબર પાછળ છેલ્લા ૩ વર્ષમાં જ વાહનચાલકોએ રૂ. ૨ કરોડ ૯૯ લાખ ૨૪ હજાર ૫૦૦ ખર્ચતા આટલી આવક તંત્રના ચોપડે નોંધાઇ હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે નાના -મોટા વાહનોની ખરીદી સાથે તેની સંખ્યા વધી રહી છે. ત્યારે આ વાહનો માટે પસંદગીના નંબર મેળવવા માટે પણ ચાલકો તેના માટે મહેનત કરે છે. પરિણામે પસંદગીના નંબરો માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૦૧૯થી ૨૦૨૧ છેલ્લા ૩ વર્ષ દરમિયાન અંદાજે રૂ. ૨.૯૯ કરોડથી વધુ રૂપિયા વાહનચાલકોએ ખર્ચા હોવાનું બહાર આવ્યું હતું.
