Gujarat

આરટીઆઈ એક્ટિવિસ્ટે માહિતી ન મળતા ટીડીઓ કચેરીમાં જતાં અરજદારને લાફો માર્યાની ફરિયાદ

હાલોલ
કાકરા ડુંગરીના પરમાર ગૌતમ ભાઈ નારણસિંહ દ્વારા પંચાયતની કામગીરી અંગે વિવિધ માહિતી આરટીઆઈ મારફતે મળી હતી. જે તેને સમય મર્યાદામાં ન મળતા એક્ટિવિસ્ટ અપીલમાં હાલોલ તા. પં. ગયો હતો. જ્યાં તેની સુનાવણી ૪ માર્ચે હતી પરંતુ ટપાલ સમયસર ન મળતા ત્યારબાદ શનિ-રવિની રજાઓ હોય એક્ટિવિસ્ટ આજરોજ તા. પં. કચેરી ખાતે આવેલ ટીડીઓની ઓફિસે આવ્યો હતો. જ્યાં તાલુકા ભાજપ પ્રમુખ પણ જે મૂળ રહેવાસી કાકરા ડુંગરીના હોય બંને વચ્ચે ઘર્ષણ થયું હોવાથી મામલો બિચક્યો હતો. અરજદાર આવ્યો ત્યારે પ્રમુખ બેઠેલા હતા .જયાં અરજદારને સુનાવણી માટે ૧૪ માર્ચ તારીખ આપી છે. પરંતુ લાફો મારવાનો કોઈ બનાવ બન્યો નથી તેમ તેઓએ જણાવ્યું હતું. જ્યારે હાલોલના પીઆઇ એબી ચૌધરી એ જણાવ્યું છે કે અમારી પાસે અરજી આવેલ છે જેની તપાસ બાદ કાર્યવાહી કરીશું મેં પંચાયતની માહિતી માંગી તલાટી જાેડે જે આરટીઆઈનો જવાબ ન મળતા મેં પ્રથમ અપીલ ટીડીઓને કરી માહિતી અધિકાર અધિનિયમ મુજબ જે માહિતીનો જવાબ લેવા મને તા. ૪ માર્ચે હાજર રહેવા અરજી થકી જણાવેલ પણ જે દિવસે હાજર રહેવાનું હતું. તે દિવસે મને અરજી મળી તો કારણ જાેગ હાજર ન રહી શક્યો. તો તા. ૭ માર્ચે ટીડીઓને મળવા ગયો. એમાં ભાજપા હાલોલ તાલુકા પ્રમુખ પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર અને. મહેન્દ્રસિંહ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ પણ હાજર હતા. ટીડીઓની ઓફિસમાં બેઠેલા હતા એમાં મારે ટીડીઓ જાેડે વાત થઇ આરટીઆઈ અને તલાટીની મેં રજુઆત કરી કે રાબેતા મુજબ બેસતાં નથી. એમાં ભાજપાના તાલુકા પ્રમુખે મને ખરાબ વર્તનથી ઓફીસમાંથી નીકળી જા કશું બોલતા નથી એટલે. ખરાબ રીતે બોલી અને મને ત્રણ ઝાપોટ મારી દીધી હતી. ભાજપાના પ્રમુખના હોદાનો દૂર ઉપયોગ કરે છે. કાકરા ડુંગરીના આરટીઆઈ એક્ટિવિસ્ટ પર હાલોલ તા. પં.માં ટીડીઓની ઓફિસમાં ભાજપ પ્રમુખ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ પર ધમકી ભર્યુ વર્તન કરીને લાફો માર્યાના આક્ષેપો અંગેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગરમાવો વ્યાપ્યો છે. જાેકે પ્રમુખે આરટીઆઈ એક્ટિવિસ્ટને લાફો માર્યો છે તેની પુષ્ટિ કરાઈ નથી. જ્યારે સમગ્ર મામલો હાલોલ ટાઉન પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટે પોલીસમાં અરજી આપી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *