નવીદિલ્હી
ભારતીય ક્રિકેટ ટીમના નેતૃત્વથી લઈને સપોર્ટ સ્ટાફમાં છેલ્લા કેટલાક મહિનામાં મોટા ફેરફારો થયા છે. કેપ્ટન બદલાયા છે, કોચિંગ સ્ટાફ બદલાયો છે. ટેસ્ટ ટીમનું ચિત્ર પણ બદલાવા લાગ્યું છે અને યુવા ચહેરાઓને કેટલાક સિનિયર ખેલાડીઓને સ્થાને તક આપવામાં આવી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના બેકરૂમ સ્ટાફમાં વધુ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયાના ચીફ ફિઝિયો નીતિન પટેલને નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવા જઈ રહ્યું છે. નીતિન પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઈન્ડિયાના ચીફ ફિઝિયો છે. તેમને દ્ગઝ્રછમાં મોકલીને બોર્ડ ખેલાડીઓની ઈજા અને ફિટનેસની સતત વધતી જતી સમસ્યાઓને ઘટાડવાની આશા રાખી રહ્યું છે. નીતિન પટેલને એનસીએમાં નવા બનેલા સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન વિભાગમાં મોકલવામાં આવી રહ્યા છે, જેને પટેલ માટે પ્રમોશન તરીકે પણ જાેવામાં આવી રહ્યું છે. બોર્ડે ગયા વર્ષે હેડ કોચ અને સપોર્ટ સ્ટાફ સાથે આ પદ માટે સ્થાન ભરવા વિજ્ઞાપન આપ્યા હતા, પરંતુ હવે આ પદ પર નીતિન પટેલની નિમણૂક કરવામાં આવી રહી છે. તેમની નિમણૂક ભારત-શ્રીલંકા ટેસ્ટ શ્રેણી પછી થશે. બોર્ડે પુરૂષો અને મહિલા ટીમો માટે ફિઝિયોથેરાપિસ્ટની નિમણૂક માટે પણ અરજીઓ મંગાવી છે. ટીમ ઈન્ડિયામાં હાલમાં બે ફિઝિયો છે, એક નીતિન પટેલ અને બીજા યોગેશ પરમાર, જે તેમના જુનિયર છે. જાે કે, બોર્ડ ઇચ્છે છે કે ટીમ સાથે હંમેશા બે ફિઝિયો ઉપલબ્ધ રહે. તેનું એક મોટું કારણ કોરોનાને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પણ ગણી શકાય. ગયા વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ્યારે નીતિન પટેલ કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યા હતા, ત્યારે યોગેશ પરમારે જ ત્રીજી ટેસ્ટ દરમિયાન ભારતીય ખેલાડીઓની ફિટનેસ પર કામ કર્યું હતું. જાે કે, બાદમાં પરમારને પણ ચેપ લાગ્યો હતો અને પછી પ્રવાસની અંતિમ ટેસ્ટ મોકૂફ રાખવી પડી હતી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પટેલને દ્ગઝ્રછમાં મોકલવાનું સૂચન કર્યું છે. ભારતીય કોચ બનતા પહેલા, દ્રવિડ દ્ગઝ્રછના વડા હતા અને જ્યાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ તેમની દેખરેખ હેઠળ તેમની ફિટનેસ પર કામ કરતા હતા. જાે કે, હવે દ્રવિડ કોચ છે અને તાજેતરના સમયમાં ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની ઈજાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે કોચ ચિંતિત છે. આવી સ્થિતિમાં મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ પટેલ જેવા અનુભવી વ્યક્તિને ટીમમાં જાેવા માંગે છે. એનસીએ. ભારતીય ક્રિકેટ ટીમના કરારબદ્ધ ખેલાડીઓએ તેમની ઈજા બાદ તેમની સંભાળ અને રિહૈબિલિટેશન માટે ફરજિયાતપણે દ્ગઝ્રછની મુલાકાત લેવી પડે છે.
