ચીન
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાઈ રહેલી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠકમાં ઈમરાને ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ચીનનું સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે હવે આ મામલે વાંધો ઉઠાવ્યો છે. ભારત વતી કહેવામાં આવ્યું છે કે ઓઆઈસીની બેઠક દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જે રીતે નિવેદન આપ્યું છે તેને ભારત નકારી કાઢે છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીર સંબંધિત મામલો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે. ઈમરાન ખાને મુસ્લિમ દેશોની ૫૭ સભ્યોની સંસ્થા ર્ંૈંઝ્રની કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સના ૪૮મા સત્રના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. ઈમરાને કહ્યું, ‘અમે પેલેસ્ટાઈન અને કાશ્મીરના લોકો સમક્ષ નિષ્ફળ ગયા છીએ. મને એ કહેતા દુઃખ થાય છે કે અમે કોઈ અસર કરી શક્યા નથી. તેઓ અમને ગંભીરતાથી લેતા નથી, અમે વિભાજિત છીએ અને તે શક્તિઓ તે જાણે છે. આ દિવસોમાં ઈમરાન ખાન પાકિસ્તાનમાં પોતાની ખુરશી બચાવતા જાેવા મળે છે.પરંતુ આ દરમિયાન તેઓ આ રાજકીય ઉથલપાથલથી બચવા માટે ર્ંૈંઝ્રની બેઠકમાં પહોંચીને પેલેસ્ટાઈન અને કાશ્મીરના મુદ્દા પર મુસ્લિમ દેશોને સાથે આવવાની વાત કરી રહ્યા છે. ચીનના સ્ટેટ કાઉન્સેલર અને વિદેશ મંત્રી વાંગ યી તેમના પાકિસ્તાની સમકક્ષ કુરેશીના આમંત્રણ પર ર્ંૈંઝ્રની બેઠકમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે શિનજિયાંગ ઉઇગુર સ્વાયત્ત ક્ષેત્રમાં માનવાધિકારના ઉલ્લંઘન છતાં ઇમરાન ચીનને સમર્થન આપે છે. વર્ષોથી, ચીની સત્તાવાળાઓએ ઉઇગુર અને અન્ય તુર્કિક લઘુમતીઓની બળજબરીથી ધરપકડ કરી છે અને તેમને અટકાયત શિબિરોમાં મૂક્યા છે. આ શિબિરોમાં તેઓને ત્રાસ આપવામાં આવે છે. અહીં જેલમાં બંધ લોકોનું શારીરિક શોષણ પણ થાય છે. અમેરિકા અને ઘણા પશ્ચિમી દેશો કહે છે કે ચીન અહીં નરસંહાર કરી રહ્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે “શીત યુદ્ધ” અને હરીફ જૂથોની રાજનીતિને કારણે વિશ્વ “ખોટી” દિશામાં જઈ રહ્યું છે. તેમણે સૂચન કર્યું કે મુસ્લિમ દેશો અને ચીને રશિયા-યુક્રેન સંઘર્ષનો ઉકેલ શોધવા માટે ભાગીદારી કરવી જાેઈએ.


